Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૧૭
ww
સંવત ૧૯૬૫ ની પાષ વદ ૨ ને શુક્રવાર તા. ૮ જાન્યુઆરી ૧૯૦૯ની નોંધઃ
પ્રશ્ન : “ હે જીવ, તું તારા દેહને બચાવવાને ઉત્કંઠિત કેમ રહ્યા કરે છે?”
જવાખઃ તેનુ કારણ એટલુ' જ કે ફરીથી ધર્માત્મા પિતા, આયક્ષેત્ર, જૈન ધર્મ, મતાગ્રહ વિનાના ધર્મ સંસ્કાર, સ્થિતિની અનુકૂળતા અને યૌવન અવસ્થામાં ધમ પ્રત્યેની જિજ્ઞાસા થવી એ આવતા ભવમાં મળશે કે નહિ? અને ( એ ) મળવું. અસંભવિત લાગે છે, કારણ કે એક ચીજ ફરીથી કચાંય પણ પિતા તરીકે દેખાશે નહિ–અને તે (પણ ) ધર્માત્મા પિતા શ્રી રાજચદ્ર.’
છગનલાલનું સગપણ કરવામાં આવ્યું નહાતું. આરેાગ્ય બગડવા પહેલાં સગપણ થવાની અણી ઉપર હતું. સંસારમાં રહેલા જીવાને સ્વાભાવિક એવી ઇચ્છા થાય કે શરીર સુધારી વૈભવે। ભાગવુ, પણ તેને બદલે આને એમ થતુ કે શરીર સુધરે તે આત્માનું કલ્યાણ કરી શકું. અને કોઈ અગમ્ય રીતે બનતું પણ એવું કે જ્યારે જ્યારે સગપણની વાત ચર્ચાતી કે તેની કાઈ તજવીજ કરાતી ત્યારે ત્યારે સ્વાભાવિક રીતે જ તેના મુખમાંથી નકારના જ ઉદ્ગારા નીકળતા; અને અન્ય પણ તેમ જ. તેને મનુષ્યદેહની વિશેષતા માટે કેટલુ` ભાન હતું તે તેણે પૂછેલા પ્રશ્ન ઃ “હવેના ભવમાં તે પૂરી નહિ પડે ?” અને તેને તેણે આપેલા ઉત્તર : “ફરીથી મનુષ્યભવ, તે સાથે જૈન ધર્મ, સાથે પૂ. શ્રી ( શ્રીમાન્ રાજચંદ્ર)ના જોગ અને તેનું સ્મરણ આવતા ભવમાં રહેવું.... ( અસ‘ભવિત છે)” એ ઉપરથી જણાય છે.
,,
મનુષ્યદેહની વિશેષતાનું જેમ તેને આટલુ ભાન હતું, તેમ તેને પૂર્વ જન્મની પ્રતીતિ પણ એવી જ હતી તે પણ તે જ ઉત્તર પરથી જણાય છે. જૈન ધર્મ પ્રત્યે તેની અખંડ શ્રદ્ધા હતી, તે પણ તે જ ઉત્તરથી સ્પષ્ટ થાય છે. પેાષ વદ બીજની નિત્યનેધનાં વચના તેની ઉપરોક્ત ખાખતા વિષેના લક્ષની દૃઢતા અતાવે છે. નાની વયમાં પિતાને વિયેાગ થયા હાય ત્યારે એ તરુણ જીવને આવા મંદવાડના સમયે પિતાનું સુખ ન ભાગવ્યાને મનમાં