Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૬૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અજ્ઞાની જીવથી સહન ન થાય એટલે ટીકા કરવા લાગે. એ બધાની ઉપેક્ષા કરી ધારસીભાઈ તો કોઈ લોકોની સામે જોતાય નથી. જગત શું કહેશે એમાં એમનું લક્ષ પણ નથી. એમના આત્મામાં એ પ્રભુ માટે છલછલ પ્રેમ છે. એમની આજ્ઞા ઉપાસવામાં તથા એને સર્વાર્પણ કરવામાં જ એમને હર્ષ થાય છે. જગતના જી એને કયાંથી સમજે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે, ઓલ્યા મૂરખ તે કેમ જાણે ? ” મુમુક્ષુને કેવી લય લાગવી જોઈ એ તેનું પ્રભુએ જ દિગ્દર્શન કરાવ્યું છે:
“જેને લાગી છે તેને જ લાગી છે, તે જ “પિયુ પિયુ ” પોકારે છે, તેના જ ચરણ સં'ગથી લાગે છે અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. એ વિના બીજો કોઈ સુગમ મેક્ષમાગ છે જ નહીં'.” | ગામ બહાર નીકળતાં કૃપાળુ દેવે કહ્યું, ‘ધારસીભાઈ, હવે છત્રી બંધ કરો.’ ધારસીભાઈ કહે. “ સાહેબ, ગામ બહાર તો વધારે તડકો લાગે. આપ શા માટે ના પાડી છે ? ભલે ઉઘાડી રહી.'
ભીષણ નરય ગઈ એ તિરિય ગઈ એ કુદેવમણુ ગઈ એ.
પત્તાસિ તિવ્વદુ:ખ' ભાવહિ જિણ–ભાવણા જીવે.” કાષાયનો તાપ આત્મામાંથી જ જોઈએ.
“આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે.’ જ્ઞાનીએ જે એ સંસારના તાપથી મુક્ત થયા છે તેને જગતના જીવને દુઃખી દેખીને પરમ કરુણા આવે છે. તેઓ દુ:ખમાંથી મુક્ત કરવાના ઉપદેશ આપે છે. ત્યાર પછી કુપાળ દેવ શ્રી નવલચંદભાઈને ત્યાં પધાર્યા હતા અને બધા મુમુક્ષુ ભાઈ એની વચ્ચે ધારસીભાઈની દૃઢતાની પ્રશંસા કરી હતી. આવી ભક્તિ અને આવા ભક્તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. a જિજ્ઞાસુ-“સત્સમાગમના પ્રતાપ કેઈ અલૌકિક છે. સત્સંગમાં સપુરુષનાં ચરિત્રો સાંભળવા મળે, પોતાના દોષનું