Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
From
યાડા જેલ
પૂ. ગાંધીજીના યાડા જેલમાંથી આવેલા પત્ર
*******
તારીખ ૨૭–૩–’૩૩
સરનામુ :શ્રી ભોગીલાલ પોપટલાલ
ઘાંચીની પેાળ
Ahmedabad. B. B. & C. I. R.
ભાઈ ભોગીભાઈ
તમારા કાગળ મને મળ્યા હતા. હું જવાખ પણ આપી ચૂકયો હતા. પોપટભાઈ જીવતાં હુ. ખભાત ન જઈ શકયો તેનુ મને દુ:ખ રહ્યું હતું. તમે ઇચ્છે છે કે પરમશ્રુત ખાતર હું કઈક કરુ, પણ અહીથી શું થઈ શકે ?
મેાહનદાસના જય હિન્દ.
આવું અંતરદૃષ્ટિપૂર્ણાંક જ્ઞાનીનુ એળખાણ થવું, પરીક્ષા કરીને જ્ઞાનીનું અંતર સમજવુ, તેમની વીતરાગતાની પ્રતીતિ પામવી, તેમના પ્રત્યે બહુમાન–પ્રેમ થવા એ તેવી વીતરાગપણાની રુચિ, વૈરાગ્ય અને અંતઃકરણથી મુક્ત થવાની જિજ્ઞાસા વિના ન બને.
કૃપાળુદેવ જેવા પરમજ્ઞાની પુરુષના સમાગમમાં આવીને તેઓ વિચક્ષણ મધ્યસ્થ પ્રજ્ઞાવાન, સત્યના ખાજક હાઈ, શીઘ્રપણે સહેલાઈથી પરમ સત્યને સમજી શકયા. પેાતાના જીવનમાં શકથ પ્રયત્ને સત્યનું આચરણ કર્યુ.. મહાત્માજીનુ' તેવું દયામય, ક્ષમાશીલ, સર્વમાં ભ્રાતૃભાવ અને પ્રેમ-ઝરતુ' સંયમી જીવન તેમના સંતપણાને શાભાવે છે.