Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૩
તેમણે (શ્રીમદે) ધંધાને ધર્મ સાથે વ્યવહારમાં સમન્વય કર્યો તેની મારી ઉપર ખાસ છાપ પડી. તેઓ ધર્મના સિદ્ધાંતના સતત અભ્યાસી હતા અને પોતાની માન્યતાઓ પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરતા. તેઓ જૈનધમી હતા, છતાં બીજા ધર્મો તરફ તેમની સહિષ્ણુતા ઘણી જ હતી.
“આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તે પ્રભાવ પાડયો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સાથે રસ્કિન અને ટેલસ્ટયનો ફાળો છે પણ કવિની અસર મારી ઉપર ઊંડી પડી છે કારણ કે હું તેમના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યા હતા. ઘણી બાબતમાં કવિનો નિર્ણય, તુલના મારા અંતરાત્માને-મારી નૈતિક ભાવનાને-ખૂબ સમાધાનકારક થતાં..
કવિના સિદ્ધાંતનો મૂળ પાયે નિઃસંદેહ અહિંસા હતા. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતો.”
- મોડર્ન રીવ્યુ , જૂન, ૧૯૩૦ તેઓ ઘણી વાર કહેતા કે, “પાસથી કેાઈ બરછી ભાંકે તે સહી શકુ'; પણ જગતમાં જે જૂઠ, પાખડ, અત્યાચાર ચાલી રહ્યાં છે-ધમને નામે જે અધમ વતી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. મેં તેમને ઘણી વાર અત્યાચારોથી ઊકળી રહેલા જોયા છે. તેમને આખુ જગત પોતાના સગા જેવું હતું.”
–“દયાધમ ” શ્રીમની જયંતી પ્રસંગે [ સં'. ૧૯૭૮. કાર્તિકી પૂર્ણિ મા—અમદાવાદ ]