Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૧
ww
“ધ પુસ્તકો વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી તથા ઇસ્લામ ધર્મોનાં પુસ્તક વાંચ્યાં. લ’ડનમાં થયેલા અંગ્રેજ મિત્રા સાથે પત્રવ્યવહાર ચલાવ્યા. તેમની આગળ મારી શકાએ મૂકી. તેમજ હિંદુસ્તાનમાં જેએ ઉપર મારી કાંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યેા. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તે મારે સરસ સબ`ધ અ'ધાઈ ચૂકળ્યો હતા. તેમના પ્રત્યે માન હતું. તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યા. તેનુ પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યા. હિંદુ ધર્માંમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવા મનને વિશ્વાસ આવ્યેા. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાખદાર થયા. એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હાવું જોઈએ તેને ખ્યાલ વાંચનારને કઈક આવશે.
“જે વૈરાગ્ય એ (‘અપૂર્વ અવસર’ પદ્મની) કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મે' તેમના એ વના ગાઢ પરિચયમાં ક્ષણેક્ષણે તેમનામાં જોયેલા.........ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તા હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેાહ થયા હોય એમ મે' નથી જોયું.
“હું તેમની રહેણીકરણી આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો પહેરણુ, અંગરખું', ખેસ, ગરભસૂતા ફેટા ને ધાતિયું. એ કઈ બહુ સાફ કે ઇસ્તરીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. તેમને મન ભેાંયે બેસવું અને ખુરસીએ બેસવું અને સરખા હતા. સામાન્ય રીતે પેાતાની દુકાનમાં તેએ ગાદીએ બેસતા.
“તેમની ચાલ ધીમી હતી. જોનાર સમજી શકે કે ચાલતા પણ તેએ વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતા. અત્યંત તેજસ્વી, વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરા ગેાળાકાર, હાડ પાતળા, નાક અણીદાર પણ નહીં, ચપટુ' પણ નહીં, શરીર એકવડુ, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિના હતા. તેમના કડમાં એટલું બધું મારું હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. ચહેરા હસમુખા ને પ્રફુલ્લિત