Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫
સાહેબ, આ વિદ્યાર્થી મારા ક્લાસનો નથી, ઉપરના ધેરણનો છે. આ બાળકને મારે શું ભણાવવું ? ગમે તે કવિતા, પાઠ, અર્થ, ગણિત જે કહીએ તે બધું જ જરા પણ ભૂલ વિના તે જ પ્રમાણે બાલી તથા લખી જાય છે. મુખ્ય શિક્ષક આ જાણી આશ્ચર્ય પામ્યા અને એક વિદ્યાથીને મોકલી રવજીભાઈને લાવી પૂછયુ’ કે ‘તમારા આ બાળકને તમે ઘરે ક'ઈ અભ્યાસ કરાવે છે ? ”
રવજીભાઈ અદીએ કહ્યું કે, “ સાહેબ, પાટી ને પેન નિશાળે તેને બેસાડયો ત્યારે જ લાવ્યો છું. તે સાંભળી સુસંસ્કારી મોટા માસ્તરને બરાબર સમજાઈ ગયું કે આ બાળક પૂર્વજમના કોઈ આરાધક દેવાંશી પુરુષ છે. આમ સમજી ગયા પછી તેઓ તેમને પોતાની પાસે જ બેસાડતા.
પ્રભુના બાળમુખે જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની કવિતાઓ બોલાવતા. પ્રભુએ એક જ વર્ષમાં ચાર ધોરણનો અભ્યાસ કરી લીધા હતા. ચોથા ધોરણની પરીક્ષા લેવા માટે મોરબી સ્ટેટના એજ્યુકેશનલ ઇન્સપેક્ટર સાહેબ શ્રીયુત પ્રાણલાલભાઈ વવાણિયા આવેલા. સમજુ અને વિચક્ષણ પુરુષે કાઈના પરિચયમાં આવતાં જ તેમને કળી જાય છે. પરીક્ષા લેતી વેળાએ જ પ્રભુની લાક્ષણિકતાનું ઇ-પેકટર પ્રાણલાલભાઈને ભાન થયું, તેમણે શાળાશિક્ષકને પૂછયુ’ : ૧૬ આ વિદ્યાર્થી કોણ છે ? ” મુખ્ય શિક્ષકે કહ્યું, “સાહેબ, દેખાય છે તો આ નાનકડો બાળક, પણ પૂર્વના સંસ્કાર લઈને આવેલા કોઈ બાળાગી છે એમ અમે તેને સમજીએ છીએ. એક વર્ષમાં જ તેણે ચાર ચોપડીના અભ્યાસ પૂરો કર્યો છે.” આ સાંભળી પરીક્ષક સાહેબ બાળપ્રભુની સાથે વાતે વળગ્યા. તેમ કરતાં કંઈક લખાણ થતાં તેમાંથી ધર્મ વિષયની ચર્ચા નીકળી. તે પરત્વે આ આ બાળકનું વિવેકયુક્ત અને ગંભીર ભાવનિરૂપણ થતાં પ્રભુ પુર ઇન્સ્પેકટર સાહેબને બહુ પ્રેમ આવ્યા અને ઉલ્લાસમાં આવી તેઓ પોતાની સાથે તેમને જમવા તેડી ગયા.
પ્રભુએ તે વયમાં રચેલી કવિતાઓ – જેમાંથી કેટલીક તો છાપામાં પણ મોકલી હતી તે તેમને બતાવી. તે સઘળુ" જોઈને અને સાંભળીને તેમને બહુ જ આશ્ચય ઉત્પન્ન થયું અને પ્રભુને