Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રી વચનામૃત ”
તામ્રપત્ર પર
(૧૨) મીરજ પાસે આવેલા માધવનગર ગામે મારે હવાફેર માટે લગભગ દસ માસ રહેવાનું થયું, ત્યારે પૂ. શ્રી. હેમચંદભાઈ ટોકરશી સાથે હતા. તે વખતે એક વાર વાતચીતમાં તેમણે સૂચવેલું કે પ્રભુનાં વચનામૃતના મૂળ હસ્તાક્ષરના જે પત્રો પરમશ્રત પ્રભાવક મંડળ પાસે છે તે સઘળા મેળવી શકાય ને તેના બ્લેક કરાવી ત્રાંબાનાં પતરાં ઉપર કોતરાવી શકાય તો તે એક અગત્યનું ને કરવા ચોગ્ય સત્કાર્ય છે. આ રીતે પ્રભુનાં વચનામૃતો દીર્ધકાળ પર્યત જાળવી શકાય અને અનેક વર્ષો સુધી જિજ્ઞાસુઓને આ મહાન વિભૂતિના પરમાત્મ પણાની ઓળખનો લાભ કરવામાં ઉપકારક થાય. | મને આ વાત ઘણી ગ્ય લાગી અને તેની મેં મનોમન નોંધ કરી. ત્યાંથી ઘેર આવીને મેં' આ બાબત ધ્યાન પર લીધી. મને ખ્યાલ હતો કે અગાસના ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'માં મૂળ હસ્તાક્ષરવાળા સઘળા પત્રોના ફાટાઓ લેવડાવીને મોટા ખર્ચ તેનાં આલબમ બનાવેલાં છે. મને પણ પ્રથમ તેવા ફાટપ્રિન્ટ કરાવવાની વૃત્તિ થઈ અને મેં તે ભાઈ બુદ્ધિધનના પિતાશ્રીને જણાવી. તેઓ એ મારી વાત તરત જ સહર્ષ સ્વીકારી અને પરમશ્રત પ્રભાવક મંડળ પાસેથી તે સઘળા પત્રો મેળવ્યા. શ્રી. હેમચંદભાઈના પુત્ર શ્રી. શાંતિભાઈને ફોટાઓ તૈયાર કરવાનું કામ સોંપ્યું અને તેમણે પૂરા ઉમંગથી બહુ સુંદર રીતે તે પાર પાડયું.
આ કાયથી મને કાંઈક સંતોષ થયા; છતાં ત્રાંબાનાં પતરાં પર વચનામૃત કોતરાવવાની ભાવના અંતરમાં રમતી રહી. પરંતુ