Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૫૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwળ
(શ્રી બ્રહ્મચારીજી). ગ્રેજયુએટ થઈ દસેક વર્ષ તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ આણંદના દા. ન. વિનયમંદિર’ના આચાર્ય પદ સુધી પહોંચ્યા. પરંતુ એમનું જીવન “ આત્મલક્ષી” હોઈ તેમને પોતાના આચારને આદર્શરૂપ બનાવવાની ઝંખના જાગી. જ્યાં સુધી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આચાય ગણાવું તેમને આત્મવંચનારૂપ લાગતુ. દિવાળીની રજાઓમાં તેઓ પોતાને ગામ બાંધણી આવ્યા. ત્યાં તેમના નેહી શ્રી ભગવાનભાઈ દ્વારા પરમકૃપાળુ દેવ તથા પૂ. મુનિશ્રી સંબંધી જાણવા મળ્યું, એટલે અગાસ આશ્રમમાં આવવાની ઉત્કંઠા જાગી. કાળી ચૌદસની વહેલી સવારે તેઓશ્રી ભગવાનભાઈની સાથે આશ્રમમાં આવ્યા. ત્યાં પરમકૃપાળુ દેવની છબીના દર્શનથી તેઓ ખૂબ આનંદ પામ્યા. પૂ. મુનિશ્રીના મુખેથી ‘મૂળમાગ'નું પદ સાંભળ્યું અને તેમનું અંતર પલટાઈ ગયું'. વર્ષોની ઝંખના ફળી જાણીને જોઈતું હતું તે મળી ગયું એવી સાત્ત્વિક તૃપ્તિ અનુભવી.-જાણે અંતરની તમન્ના સારરૂપ થવાની સુવર્ણ તક સાંપડી. “મૂળમાર્ગ ’નું પદ કેઈ ચમત્કારિક અનુભવ કરાવે છે. તે પદ સાંભળી ઘણા મુમુક્ષુઓની વૃત્તિ સ્વચ્છદ અને મતમતાંતરાદિના આગ્રહથી છૂટીને તે “મૂળમાગ’ આરાધવા જાગી ઊઠે છે. પરમકૃપાળુ પ્રભુનાં એ વચનો કેઈક ભાગ્યવંતનું પરિવર્તન કરી નાખે તેવાં અસરકારક નીવડે છે. e “ પૂવે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સપુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીથ"કરના વચનને નમસ્કાર કરીએ છીએ.” (વ. ૪૩૬ ) ' આ રીતે પરમકૃપાળુ દેવના તેમને પ્રત્યક્ષ પરિચય નહોતો થયા, પરંતુ પૂ. મુનિના પરિચયથી પરમકૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રગટી હતી. ત્યારથી ‘બ્રહ્મચારી’ તરીકે અગાસ આશ્રમમાં રહીને પરમકૃપાળુ દેવની ભક્તિ, વચનામૃતનું વાચન તથા ચિંતન અને પૂ. મુનિશ્રીની સેવામાં જ જીવન ગાળ્યું છે. - પોતે પહેલી વાર વવાણિયા પધાર્યા ત્યારે તેમને ઉત્સાહ જ જુદો હતો.