Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૩૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
આટલી જાહોજલાલી છતાં ચાંદીનાં વાસણ ઘરમાં વપરાતાં દેખે તો તરત જ કહેતા કે, “ તમે ચાંદીના વાસણમાં જમા છે ને ગરીબોને તો ખાવાય નથી મળતું'! તેમને કેટલું દુઃખ થતું' હશે ! એ વિચારથી મારી આંખમાં આંસુ આવી જાય છે.” કેાઈ વાર ફેરીવાળા સાથે હું માથાકૂટ કરુ તો કહેતા, “જે માગે તે બિચારાને આપો. બે પૈસા કમાશે.” આમ ગરીબ પર તેમને બહુ અનુકંપા હતી. અમારે ત્યાં છાશ થતી તે અમે બધાંને આપતા. તેમાં એક બુઢો માણસ રોજ છાશ લેવા આવે. તેનાથી ઉપર ન ચડાય, તેથી મને કહે કે, “તમે તેને દૂધ, નાસ્તો અને છાશ નીચે આપી આવે.” બુદ્દો છો ત્યાં સુધી મેં રાજ આ રીતે કર્યું. જમતી વખતે કોઈ પણ આવે તેને જમવા બેસાડવા જ જોઈ એ. પોતે બોલે નહીં પણ પ્રથમથી જ આ પ્રથા થઈ ગયેલ. કદાચ કોઈ ભૂલી જાય તો તેમનું મન ઘણુ દુભાતું. સાંજના દુકાનેથી કેઈ નાકર આવી ચડે તો તેને પણ જમાડવાનો નિયમ હતો. ચીજે તો ઘરમાં છૂટથી આવતી. જે કોઈ આવે તે દરેક પ્રત્યે સરખા જ આદરભાવ રાખતા. આ ગુણ મારા સ્વ. પૂ. સસરાજી પાસેથી વારસામાં મળ્યો હતો તેમ હું માનું છું. સારી ચીજ હોય ને કોઈ માગે તો તે સહર્ષ આપી દેતા. આ ગુણ પિતાપુત્રમાં સમાન હતા. સગાંનેહીઓ સાથે પોતે પ્રેમથી વર્તતા. વ્યવહારમાં કોઈ કંઈ અન્યાય કરે, તો મનમાં લાવતા નહીં; અને કહેતા કે “ આપણે આપણી ફરજ બજાવવી.’ તેમણે મને વ્યવહાર સાચવવા બાબત તેમના તરફથી કોઈ પ્રકારની કદીયે અટકાયત કરી નહોતી. દીકરીદીકરાના પ્રસંગમાં તેઓ પડતા નહીં. જે વ્યવહાર કરવો હોય તે હું અને પૂ. માતુશ્રી કરતાં. પૂ. માતુશ્રી ન હોય ત્યારે હું એકલી તૈયાર કરીને કહું તો કહે કે, “તમને ઠીક લાગે તેમ કરો; મને ન પૂછશે. દીકરીઓને આપવામાં સંકેચ ન રાખવા. તેમને તો જે આપશે તેટલું તેઓ લેવા જોગ છે. સંકેચાયા વગર આનંદથી આપો.” વહ અને દીકરીને એક દષ્ટિએ જ જોતા. તેમના વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ કદી ન રાખતા; વહુએનાં મોઢાં ઢીલાં જુએ તો તેઓ દુઃખી થતા અને તેમને પ્રસન્ન થાય તેવા સમભાવ દર્શાવતા.
મને આપી તે
અને કોલકાવ કી ન
ના