Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૪૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwww
‘ઈશ્વરે શ્રીમદ રાજચ'દ્રજીમાં જ્યારે દેવી અશે। મૂકેલા ત્યારે એક બીજી ખાખત પણ ધ્યાનમાં રાખેલી લાગે છે. તે એ છે કે રા. રા. મનસુખલાલ રવજીભાઈ જેવાને સમાગમ કરાવ્યે. મનસુખલાલભાઈ વાતચીતમાં અથવા તે પેાતાના મરહૂમ ભાઈનાં રચેલાં પુસ્તકા પ્રસિદ્ધ કરતા, તેના પર ટીકા લખવામાં અથવા તે। શ્રીમાનનાં નાનાંનાનાં વાકો અથવા નાનાંમોટાં કથના વિચારતા, તેમના જીવનની એકેએક દશા વર્ણવતાં જે નિઃસીમ ભ્રાતૃભાવ દર્શાવે છે, જે ભક્તિથી સઘળુ* જુએ છે, જે પ્રેમથી તેમનુ આખુ જીવનરૂપી આકાશ દેદીપ્યમાન માને છે, તે જોતાં આપણા પ્રાચીન ઇતિહાસમાંથી લક્ષ્મણને શ્રીરામ પ્રત્યેના અંધુભાવ સ્મરણમાં આવ્યા સિવાય રહેતા નથી. આવા સસ્કારી અને વિશુદ્ધ પ્રેમવાળા ભાઈ જેઓ કેવળ સ્વાર્થ રહિતભાવથી શ્રીમાન રાજચંદ્રનાં પુસ્તકે, તેમના ઉમદા લેખા, અને તેમના જીવનના ઉચ્ચ આશયા પ્રસિદ્ધિમાં મૂકતા જાય છે તેમના આપણે સૌ એક રીતે ઋણી છીએ એમ કબૂલ કરવુ જોઈ એ.
‘ભાઈ મનસુખલાલને સસ્કારી વિશેષણ એટલા માટે આપ્યું છે કે ઝવેરી તરીકે ધધામાં રહી, સાહિત્યપ્રેમ, દેશદાઝ તથા પેાતાના સ’પ્રદાયને અનુરૂપ સાચે રસ્તે દોરવવા માટે તેમણે કરેલા સ્વાર્થત્યાગ, પૂર્ણ પ્રવૃત્તિના ઉચ્ચ ગુણા દર્શાવે છે; અને તેમણે પેાતાને ધર્મ ઘણા જ વિનીતભાવે ખજાન્યેા છે. તમારા સમૂહમાં તે પણ એક અહુ ઉપયાગી વ્યક્તિ છે.’
આ પછી મારા કાકાએ સભામાં ભાષણ કરી પ્રસંગેાચિત પ્રત્યુત્તર આપ્યા છે. તે વ્યાખ્યાન સ`ગ્રહ'માં છપાયા છે. જી - ૧> બીજું' સંવત ૧૯૭૪ પછી તેઓ કાઠિયાવાડની રાજકીય પ્રવૃત્તિમાં રસ લેતા થયા. સૌરાષ્ટ્રનુ એકમ કરનાર રાજકીય પરિષદના આફ્રિ કાર્ય કર્તાઓમાંના તેએ એક હતા. સરધાર ગામમાં શિકાર અટકાવવાથી તેમને જેલમાં જવાનું પણ થયુ હતુ.. એવાં લેાકેાપકારી કાર્યો પણ તેમણે ઘણાં કર્યાં છે. દેશ તથા સમાજની તેમણે કરેલી વિવિધ પ્રકારની સેવાઓને આ હકીકતાથી ખ્યાલ આવે છે. તેઓશ્રી સવત ૧૯૮૦માં રાજકોટમાં અવસાન પામ્યા.
*