Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
-------
પરમ પૂજ્ય કુંવરમા
************
( ૧૧ )
પરમ પૂજ્ય માના સમર્થ વ્યક્તિત્વને શબ્દોમાં આલેખી શક' એટલી હું સમથ નથી અને છતાં એમની સાથેનાં સ્મરણે। મારે માટે જીવંત અને અવિસ્મરણીય છે. અત્યારે લખું છું ત્યારે તેમની સજીવ મૂર્તિ ખડી થાય છે અને તેએ સ્થૂળદેહે નથી તેનુ વિસ્મરણ થાય છે.
આ મહાન આત્માને પરિચય કરાવનાર મારા પૂ. ઈમાના પુત્ર પૂ. શ્રી. હેમચંદભાઈની હું પરમ ઋણી છું. તેમની માન્યતા હતી કે મારા અને પૂ. માના મેળાપ મારા આત્માના ધ્યેયનુ કારણુ બનશે. પર`તુ દૈવાનુયાગે પ્રતિકૂળ સચાગેાને લીધે પૂ. માને
મળવામાં અંતરાય આવ્યા કરતા હતા.
એક વખત હું જ્યારે તીથ ધામ વવાણિયા હતી ત્યારે એ ભાવના ફળીભૂત થાય એવા ચાગ ઉપસ્થિત થયા. પૂ. મા માંડવી હતાં અને પૂ. શ્રી. હેમચ’દભાઈ તેમના દર્શનાર્થે ત્યાં જતા હતા. તેમના આગ્રહ અને પ્રેરણામળે વવાણિયામાં પૂનમનિમિત્તે આવેલા મહેમાનેાની અવરજવર ચાલુ હતી છતાં હું પૂ. માનાં દર્શન કરવા નીકળી, મારા આત્માને શાંતિ મળશે એમ માની મનુભાઈના પિતાશ્રીએ હું નીકળી શકુ તેવી ખધી વ્યવસ્થા કરી દીધી.
માંડવી રાત્રે દશ વાગે પૂ. માતુશ્રીની પાસે અમે પહોંચ્યાં ત્યારે તેમના પ્રથમ દનથી જ મારું અંતર તેમને નમી પડ્યું. અસહ્ય તાપ પછીની શીતળતાના પરમાનન્દના મે' તેમના સાન્નિધ્યમાં અનુભવ કર્યાં.
આઠે દિવસ પૂ. માના સાન્નિધ્યમાં ગાળ્યા. એ સતત સત્સ`ગના સમયમાં મેં તેમના કૃપાળુ હૃદય પ્રત્યે અપાર શ્રદ્ધા અને