Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૨૨
ઓછી થઈ. સવારે પોણા આઠ વાગ્યે દૂધ આપ્યું તે તેઓએ. લીધુ. સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયાના યોગો હતા. પોણા નવે કહ્યું : “ મનસુખ, દુ:ખ ન પામતા. માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું'.” સાડાસાત વાગ્યે જે બિછાનામાં પોઢયા હતા, તેમાંથી એક કાચ પર ફેરવવાની મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જ જણાય છે, માટે ફેરફાર ન કરો. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે કેચ પર સમાધિસ્થ ભાવે સુઈ શકાય તેવી વ્યવસ્થા કરી. તે જ કાચ પર તે પવિત્ર આત્મા અને દેહ સમાધિભાવે છૂટા પડયા. આમા છૂટા થવાનાં લેશમાત્ર ચિહ્નો ન જણાયાં અને મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ફોટા પડાવેલ તે જ સ્થિતિમાં કાચ
સલા રે - {\. પર પાંચ કલાક સમાધિસ્થ રા. લઘુશંકા, દીર્ઘ શકા, મઢે બપો૨ ૨. પાણી, આંખે પાણી કે પરસેવાનું એક બુંદ નહોતું આવ્યું'. carsa qb પાણાઓઢથી બે વાગ્યા સુધી કંઈ જ વિપરીત ચિહ્નો ન જણાયાં. દૂધ પીધા પછી એક કલાકે કુદરતી હાજતે જવું પડતુ' તેવું પણ આજે કંઈ પણ નહીં'. જેવી રીતે યંત્રને ચાવી દઈ અધીન કરી લેવામાં આવે તે રીતે તે જાણે આ દેહવિસર્જનની ક્રિયા પોતાને સપૂણ સાધ્ય હોય તેમ છૂટયો અને આ પંચમકાળે મળેલ પવિત્રાત્મા દેહના સંબ'ધ રત્નચિંતામણી, આપણને મૂકી સ્વધામે સિધાવ્યા.”
“ વીતરાગભાવે સ્થિતિ હાઈ કોઈ પણ પ્રકારે, તેઓશ્રીએ તેને પિતાની માનીને પ્રવૃત્તિ કરેલી નહી'. પ્રભુના દેહત્યાગ અવસરે મોરબીના વકીલ શ્રી નવલચંદભાઈ હાજર હતા. તેમણે શ્રી. અંબાલાલભાઈ પરના પત્રમાં લખેલું કે તેમની ‘નિર્વાણ સમયની. મૂતિ અનુપમ, શાંત, મનહર અને જોતાં તૃપ્તિ ન થાય એવી. શેભતી હતી. આપણને તો લાગે, પણ બીજા જે હાજર હતા તેમને પણ આશ્ચર્ય પમાડતી હતી અને હાજર રહેલા સવને પૂજ્યભાવ ઉત્પન્ન કરાવતી હતી. આ વખતના અદભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ ઉત્પન્ન થાય છે તે લખી શકાતો નથી.”