Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
વાત્સલ્યમૂર્તિ ૫. શ્રી. જવલબા (જયાબહેન)
તરણતારણ, જ્ઞાનાવતાર સંપુરુષોની ઉપકારવૃત્તિ માનવઇતિહાસમાં સદાકાળ એક સોનેરી પ્રકરણરૂપે શોભી રહે છે. આપણા આ ધૂંધળા વર્તમાનયુગમાં પણ એ ઉપકારવૃત્તિએ પોતાને પ્રાદુર્ભાવ કરીને એક મહદ્ ઉપકાર કર્યો છે. એ પ્રાદુર્ભાવ એટલે પરમકૃપાળુ આત્મસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રનું મૂર્તિમંત સયુરુષ સ્વરૂપે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર પુણ્યતીથ વવાણિયામાં થયેલું પ્રાકટય. ત્રિવિધ તાપમાં બળતા માયાગ્રસ્ત જીવોને એ કારુણ્યમૂર્તિનું પરમ ઉપશમ સ્વરૂપ આત્મચરિત્ર અને તેમને સાધ એ પરમ શીતળ જળસમાન છે. “જે મનુષ્ય સપુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે.* *' શ્રીમદ્દનું આ કથન પણ એ જ મર્મનું સૂચક છે.
એટલે જીવોના વાસ્તવિક કલ્યાણ માટે આવા જંગમતીર્થ સમા સપુરુષોનાં ચરિત્ર, સદુપદેશ, મુદ્રા, પવિત્ર જન્મભૂમિ, નિવાસસ્થાન, આસન વગેરે સવ પૂજાણું બની રહે છે. - આવી વિભૂતિઓના ચરિત્ર – રહસ્યને આરાધવાનો સુઅવસર અન્ય મુમુક્ષુઓને પણ પ્રાપ્ત થાય તે અથે" આ ઉજવળ પરંપરાને સાચવવામાં તેઓશ્રીના પ્રભાવક વૃત્તિના અનુયાયી ભક્તજનોએ પણ જે યથાશક્તિ ફાળે આપ્યા છે તે અવિસ્મરણીય છે. આ
*જુઓ - મેક્ષમાળા'. શ્રીમદે તેમની સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં એ રચી હતી. જેનધમ ને યથાર્થ રીતે સમજાવવા તેમાં પ્રયત્ન કર્યો છે. વીતરાગમા નું' બીજ હૃદયમાં રોપાય એ તેનો હેતુ છે.