Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫
દશનાર્થે આવે ત્યારે તેમના ઉમળકાભેર આદર – સત્કાર કરવા અને વાત્સલ્યભાવે તેમની ખાવાપીવાની, સૂવાબેસવાની વગેરે નાનામાં નાની સુખસગવડ પર ધ્યાન આપવું.
પરમાર્થ સાચવી તેને દીપાવવા માટે ઉદાર ભક્તિ ઉપરાંત અન્ય સદગુણોની પણ આવશ્યકતા રહે છેઃ નમ્રતા, લઘુતા, ગંભીરતા, ધીરજ, સહિષ્ણુતા, વાણીમાધુર્ય, હિંમત, હાંશ, વાત્સલ્ય તથા ઔદાય વગેરે સદ્દગુણો આવશ્યક બની રહે છે. પૂ. જવલખામાં આ ગુણાનું દર્શન થાય છે. તેમના સાન્નિધ્યમાં તેમના અપાર સદભાવ અને વાત્સલ્યની પ્રતીતિ થાય છે અને વાત્સલ્યમૂતિ બા” એ શબ્દો સૌના મેમાંથી સહેજે સરી પડે છે. માતાથી પણ અધિક સંભાળ લેતાં આ ‘ખા ’નું દર્શન ખરેખર પાવનકારી છે.
કમ ગતિની વિચિત્રતા અનુસાર શાતા-અશાતા, અનુકૂળતાપ્રતિકૂળતા, ગૃહસ્થના ઘરના બહોળા કુટુંબ-વહેવારને કારણે ઊભી થતી અનેક પ્રકારની વ્યાવહારિક વિટંબણાઓ વચ્ચે પણ દઢ સંક૯પબળથી લોકોત્તર શુભ સંસ્કારાના પ્રાપ્ત થયેલો વારસો, તેના પર કોઈ પ્રકારનું આવરણ આવવા દીધા વગર, અણીશુદ્ધ જાળવી રાખવાનું કાર્ય ઘણું કપરું' છે. એ મહદુ પુણ્યની નિશાની છે અને બહારથી સામાન્ય જણાતા જીવનના ઊંડાણમાં રહેલા પ્રભાવક આત્માનાં લોકોત્તર લક્ષણોનું સૂચક છે. - પૂ. બાનું અંતઃકરણ ખરેખર કેવું સાત્ત્વિક અને નિર્દોષ છે ! તેમને હંમેશાં મનમાં થયા કરતું કે, “શું માણસ ખરેખર જૂઠું" બાલી શકતા હશે ? અન્યાય, અનીતિ આચરી શકતો હશે ? ? ? તેવું તેનાથી કેમ બનતું હશે ? સાતસો મહાનીતિ* વાંચતાં મનમાં એમ થાય કે “ પ્રભુએ આમ કેમ લખ્યું હશે ? !” સંવત ૨૦૧૫માં એટલે કે પિતાની ૨૫ વર્ષની ઉંમરે પૂ. જવલબાએ જણાવેલી આ વાત છે. એ હકીકત સૂચવે છે કે આ બહુરંગી દુનિયાના પ્રપંચી ખેલને તેમના સરળ ભદ્રસ્વભાવને કયારેય પાશ લાગ્યા
** મહાનીતિ’–‘વચન સપ્તશતી)-જુઓ ‘તત્વદીપિકા ” પા. ૨૧થી ૪૬.