Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 11
________________ સંસારમાં અનાદિકાળથી જીવ સ્વભાવ છેડી પરભાવમાં રાચે છે. એમાંથી મુક્ત થઈ સાચી દિશામાં પ્રગતિ કરી શકે તે માટે શ્રી જૈનશાસનમાં ‘જ્ઞાનયિામ્યાં મોક્ષ' એ સૂત્ર બતાવ્યું છે. જ્ઞાન અને ક્રિયા ઉભયના યાગથી જ માલ મળે છે એમ કહેતુ જૈનદર્શન એ આત્મદર્શન છે. આત્મા સાથે પરમાત્મા, જીવ સાથે શિવ અને ખૂદ સાથે ખુદાનું મિલન કરી આપનાર આ દર્શન છે. σε વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવવા માટે, વિરાધકભાવમાંથી આરાધક ભાવમાં આવવા માટે, અનંતકાળની અજ્ઞાનદશાને છેદ ઉડાડી, સહજાનંદી, સિદ્ધસ્વરૂપી એવું નિર્વાણપદ પ્રાપ્ત કરવા માટે શ્રી જિનેશ્વર ભગવતાએ જે આચારમાર્ગ બતાવ્યો. એ માર્ગને અનુસરનારે જીવ તે જૈન. શ્રી જિનેશ્વરદેવને નમનારા, પૂજનારો, તેમના જ ધ્યાનમાં રહેનારા, તેમના ઉપદેશને, આચારને, આચારના ફળસ્વરૂપ સિદ્ધ પદને અને સિદ્ધપદની પ્રાપ્તિમાં સહાયભૂત થનાર સાધુધર્મને આદર આપનારા, હૃદયના બહુમાનપૂર્વક મન – વચન – કાયાથી પ્રણામ કરનારા તે જૈન, આવા ઝૈનને – શ્રી જિનેશ્વરદેવના અનુયાયીને ‘ શ્રાવક ' નામથી પણ ઓળખવામાં આવે છે. શ્રી વીતરાગ વર્ભના ઉપાસક અને આરાધક શ્રાવકે શું કરવું જોઈ એ ? એની આ પુસ્તક ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. શ્રાવકની કરણી, એનાં રાજનાં, રાત અને દિવસનાં, પર્વતિથિનાં, ચાતુર્માસનાં, અને વર્ષ આદિનાં કર્તવ્યો અદા કરવાની વિવિધ કોનુ નિરૂપણ કરીને તે જૈન-શ્રાવક સામાન્ય જનથી કેવા વિશેષ રીતે 8

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 246