________________
તેથી તિર્યંચ પ્રાયોગ્ય-ર૯ કે મનુ0 પ્રાર૯ને બાંધનારા મિથ્યાષ્ટિને એ-૮ પ્રકૃતિના ઉચ્ચપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાદષ્ટિ જીવો મૂળકર્મને બાંધતી વખતે થાણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધી-૪, ત્રીવેદ, નપુંવેદ, નીચગોત્રનો ઉ0પ્રદેશબંધ કરે છે અને ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાષ્ટિજીવો-૮ મૂળકર્મને બાંધતી વખતે નરકાયુ અને તિર્યંચાયુનો ઉOપ્રદેશબંધ કરે છે. જઘન્યપ્રદેશબંધના સ્વામી - सुमुणी दुन्नि असन्नि, निरयतिग सुराउसुरविउव्विदुगं । सम्मो जिणं जहन्नं, सुहुमोनिगोयाइखणि सेसा ॥९३॥ सुमुनिः द्वे असंज्ञी नरकद्विकं सुरायुः सुरवैक्रियद्विकं । सम्यग् जिनं जघन्यं सूक्ष्मनिगोदादिक्षणे शेषाः ॥९३ ॥
ગાથાર્થ - ઉત્તમમુનિ [અપ્રમત્તમુનિ] આહારકહિકનો જળપ્રદેશબંધ કરે છે અસંજ્ઞીપંચેન્દ્રિય નરકત્રિક અને દેવાયુનો જ પ્રદેશબંધ કરે છે.
વિવેચન - પરાવર્તમાનયોગવાળા અપ્રમત્તમુનિ દેવપ્રાયોગ્ય-૩૧ પ્રકૃતિને બાંધતી વખતે આહારકદ્ધિકનો ઉ૦પ્રદેશબંધ કરે છે. જો કે દેવપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે આહારકદ્ધિક બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકનો એક ભાગ ઓછો થવાથી આહારકદ્વિકના ભાગમાં થોડા વધુ દલિકો આવે છે. તેથી આહારકદ્વિકનો જOપ્રદેશબંધ થતો નથી. એટલે દેવપ્રાયોગ્ય-૩૧ પ્રકૃતિના બંધક અપ્રમત્તમુનિને આહારકદ્ધિકના જ પ્રદેશબંધના સ્વામી કહ્યાં છે. (૬૫) પર્યાપ્તાજીવને એકયોગમાંથી બીજાયોગમાં જતી વખતે પરાવર્તમાન[ઘોલમાન]
યોગ હોય છે અને પરાવર્તમાનયોગીને મંદયોગ હોય છે. કારણ કે પર્યાપ્ત જીવ મનયોગ-વચનયોગ અને કાયયોગમાંથી કોઈપણ એક યોગમાં ઘણો સમય રહે, તો તીવ્રચેષ્ટાવાળો [તીવ્રયોગવાળો] હોય અને એક્યોગમાંથી બીજાયોગમાં જતી વખતે જીવને સ્વભાવથી અલ્પચેષ્ટા મિંદયોગ] હોય છે. એટલે પરાવર્તમાન યોગવાળા જીવને મંદયોગ હોય છે.
૩૩૯OT