Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 441
________________ શંકા ? આવું તો એકેન્દ્રિયજાતિનામકર્મ વગેરે માટે પણ કહી શકાય છે કે એ કર્મ સીધું તો પુદ્ગલ પર અસર કરે છે તે પછી એવા પુદ્ગલાત્મક દ્રવ્યને પામીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોના અમુક ચોક્કસમાત્રામાં જ ઉદય-ક્ષયોપશમ થતા હોવાથી અમુક ચોક્કસ મર્યાદાના જ જ્ઞાનાદિ તેઓમાં પ્રગટ થાય છે. અને તેથી એને પણ પુગલવિપાકી કહેવા જોઇએ. સમાધાનઃ આ શંકા બરાબર નથી. કારણકે જાતિનામકર્મની અસર પુદ્ગલ પર થતી હોય તો ક્યા પુદ્ગલ પર? દ્રવ્યન્દ્રિયનું જે નિર્માણ થાય છે તેમાં તો પર્યાપ્તિ-ઉપાંગ-નિર્માણનામકર્મ ભાગ ભજવે છે, જાતિનામકર્મ નહીં. જાતિનામકર્મ તો એવો આત્મપરિણામ જ ઊભો કરે છે કે જેથી પર્યાપ્ત નામકર્મના પેટાવિભાગસ્વરૂપ, ઇન્દ્રિય પર્યાપ્તિનામકર્મના પણ પેટાવિભાગરૂપ સ્પર્શનેન્દ્રિય પર્યાપ્તિનામકર્મના પ્રભાવે, શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી માત્ર સ્પર્શનેન્દ્રિયરૂપે જ પુદ્ગલો પરિણમે, અન્યઇન્દ્રિયરૂપે નહીં. આ જ રીતે ઉપાંગનામકર્મ વગેરે માટે પણ જાણવું. એ જ રીતે, જ્ઞાનાવરણીયાદિનો મર્યાદિત ક્ષયોપશમ જ થાય, એવો પણ જીવપરિણામ જાતિનામકર્મના ઉદયે થાય છે. માટે એ જીવવિપાકી જ છે. ખગતિનામકર્મ : આ કર્મ જીવવિપાકી છે. શંકા : હંસ જેવી શુભચાલ કે ઊંટ જેવી અશુભચાલ એ તો શરીરના ધર્મ છે. માટે આ કર્મને પુલવિપાકી કહેવું જોઇએ ને. સમાધાન : હા, વાત બરોબર છે, શુભ-અશુભચાલ શરીર (પગ) શી રીતે પડે છે. એના પરથી જ જણાતા હોવાથી શરીરધર્મ કહી શકાય છે. ને છતાં ખગતિનામકર્મને જીવવિપાકી કહી છે, માટે એનું કારણ વિચારી કાઢવું જોઇએ. એ વિચાર આવો થઈ શકે છે. મનુષ્યાદિ કોઇપણ જ્યારે ચાલે છે ત્યારે એના આત્મપ્રદેશોની સાથે પગ જાય છે કે પગની પાછળ આત્મપ્રદેશોને ખેંચાવું પડે છે? આ સૌ પ્રથમ વિચારવું જોઇએ. આશય એ છે કે શરીરની સાથે જીવપ્રદેશો ક્ષીરનીરવત્ એકમેક થયેલા એટલે શરીરની કોઇપણ હિલચાલ સાથે ૪૩૮૬

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488