Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 456
________________ તિરુદ્ધિકાદિ સાથે પરાભાવ શરૂ થાય છે એના કરતાં અલ્પસ્થિતિબંધ સંભવિત જ ન હોવાથી અંતઃકોકોથી ૧૮કોકો૦ સુધીના દરેક સ્થિતિબંધ પરા મધ્યમપરિણામે જરસબંધ સંભવિત છે. એમ દેવદ્વિક શુભપ્રકૃતિ છે અને મનુદ્ધિકાદિ સાથે ૧૦કોકો સુધી પરાભાવે બંધાય છે. અને આ જ એનો ઉ સ્થિતિબંધ છે. માટે પરાભાવીય અંતઃકોકોથી ૧૦કોકો૦ સુધીના દરેક સ્થિતિબંધે એનો જઘ૦૨સબંધ મધ્યમપરિણામે શક્ય છે. બંધવિહાણું વગેરે ગ્રન્થોમાં પણ આવું જ નિરૂપણ છે. એટલે મેં પણ પદાર્થ નિરૂપણમાં આ પ્રમાણે જ આ બંને દ્વિકોનો પણ જઘરસબંધ પરા૦મધ્યમપરિણામે જણાવ્યો છે એ જાણવું. (R) અશાતાના અંતઃકોકોસાળ જળસ્થિતિબંધથી શાતાના ૧૫ કોકોસા∞ ઉ સ્થિતિબંધ સુધીના પ્રત્યેક સ્થિતિબંધ પણ જુદા જુદા અસંખ્ય પરિણામોથી શક્ય હોય છે. એમાંથી કેટલાક પરિણામો એવા હોય છે કે જેનાથી જીવ માત્ર શાતા જ બાંધી શકે છે, પરાવર્તમાન પામી અશાતા બાંધી શકતો નથી. એમ કેટલાક પરિણામોથી માત્ર અશાતા જ બાંધી શકે છે, શાતાનો બંધ કરવા રૂપ પરાવર્ત થઇ શકતો નથી. પણ આ બન્ને સિવાયના અન્ય કેટલાક પરિણામ એવા હોય છે કે જેથી શાતા-અશાતાના બંધનો પરાવર્ત થઇ શકે છે. આ પરિણામો પરાવર્તમાનમધ્યમપરિણામ કહેવાય છે. આને જ બીજી રીતે કહેવું હોય તો આ સ્થિતિબંધસ્થાનોમાં જીવ જો એકાંત સંક્લેશપૂર્વક આવતો હોય તો માત્ર અશાતા જ બંધાય છે, એકાંત વિશુદ્ધિ સાથે આવતો હોય તો માત્ર શાતા જ બંધાય છે. આશય એ છે કે અંતમુળ સુધી સ્થિતિબંધ એક સરખો હોવા છતાં આ સ્થિતિબંધાદ્ધા દરમ્યાન ઉત્તરોત્તર સમયે સંક્લેશ વધતો જતો હોય તો એકાંતસંક્લેશ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે એનાથી માત્ર અશાતા જ બંધાઇ શકે છે, ને અશાતા પરથી શાતાનો પરાવર્ત પણ થઇ શકતો નથી. એમ એ કાળ દરમ્યાન ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ વધતી જતી હોય તો એ એકાંતવિશુદ્ધિ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે તેનાથી માત્ર શાતા જ બંધાઇ શકે છે, તેમજ શાતા પરથી અશાતાનો પરાવર્ત થઈ શકતો નથી. પણ જો ઉત્તરોત્તર સમયે પરિણામોમાં સ્થિરતા કે સામાન્ય વધ-ઘટ ૨૬ ૪૦૧

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488