Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 468
________________ સંભવસત્તાનો ક્ષય કહેવાય છે. આનો અર્થ આવો વિચારી શકાય છે કે જીવમાં અનાદિકાળથી ચારે આયુના બંધની જે યોગ્યતા હતી તેનો, અને ૩ આયુના ઉદય-સત્તાની જે યોગ્યતા હતી એનો જીવ વિચ્છેદ કરે છે. આ જ ત્રણ આયુની ક્ષપણા=સંભવસત્તાનો ક્ષય છે. એમ પ્રસ્તુતમાં, અનાદિકાળથી જીવમાં મિથ્યાત્વ વગેરે પરિણામરૂપે પરિણમવાની જે યોગ્યતા હતી એ યોગ્યતાનો નિર્મૂળ નાશ કરવો એ ક્ષપણા છે. આ ક્ષપણાની સાથે યોગાનુયોગ સત્તાગત સર્વ દલિકો પણ ક્ષીણ થઈ જાય છે, માટે સત્તાગતદલિકોનું ક્ષીણ થવું એ તો ક્ષપણાનું આનુષંગિકફળ છે એ જાણવું. જીવ જ્યારે ક્ષાયિકસમ્યક્ત પામવા માટે ઉદ્યત થયો હોય છે ત્યારે પૂર્વે અનંતા૦૪ની યોગ્યતા પણ નિર્મૂળ કરે જ છે, માટે એ પ્રક્રિયાને જરૂર ક્ષપણા કહી શકાય છે. આવા જીવને ફરીથી ક્યારેય પણ અનંતાનુબંધી ક્રોધાદિ પરિણામ થતો ન હોવાથી અનંતાનુબંધી ક્રોધ મોહનીય વગેરે કર્મોનો બંધ-ઉદય કે સત્તા સંભવતા નથી. પણ, આ સિવાય પણ ચારે ગતિના જીવો અનંતા કર્મોને શુભ અધ્યવસાયો-સપુરુષાર્થ દ્વારા જે ક્ષીણ કરે છે, એ પ્રક્રિયામાં આત્મામાંથી અનંતાનુબંધી ક્રોધ વગેરે પરિણામોની યોગ્યતા નષ્ટ થતી નથી, અને તેથી એ જીવ કાળાન્તરે મિથ્યાત્વે જઈને પુનઃ અનંતાનુબંધી ક્રોધાદિ પરિણામરૂપે પરિણમી શકે છે તેમજ અનંતાનુબંધી ક્રોધમોહનીય કર્મ વગેરેનો બંધ-ઉદય-સત્તા બધું જ પામી શકે છે. માટે એ પ્રક્રિયાને “ક્ષપણા” કહી શકાતી નથી, અને તેથી એને વિસંયોજના' કહેવાય છે. શંકા :- જો એ પ્રક્રિયામાં યોગ્યતા દૂર થતી નથી તો એને પણ “ઉવેલના' જ કહો ને? સમાધાન :- આહારકસપ્તક વગેરેની ઉવેલનામાં જીવનો કોઈ યથાપ્રવૃત્તકરણાદિસ્વરૂપ સત્રયત્ન હોતો નથી, માત્ર અવિરતિ વગેરે અવસ્થાવશાત્ ઉવેલનાની પ્રક્રિયા થતી હોય છે, તથા એમાં Pa કાળ લાગે છે, અને તગ્નિમિત્તક કોઈ ગુણશ્રેણી પણ થતી નથી. જ્યારે અનંતાનુબંધીની વિસંયોજનામાં કરણાત્મક સત્ક્રયત્ન હોય છે, માત્ર ૪૧૩

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488