________________
૧૫૦૦૧થી ઉપરનો જેટલો રસ સત્તામાં હોય ત્યાં સુધીના રસવાળું હતું. પણ જેવો દસમો સમય આવ્યો ને આ વિવલિત નિષેક ઉદય પામ્યો કે તરત જીવની વિશુદ્ધિના કારણે ત્રણેનો રસ ક્ષય પામે છે. આ ક્ષય વિશુદ્ધિને અનુસરીને થાય છે. ધારો કે વિવક્ષિત સમયે વિશુદ્ધિ એવી છે કે જેથી ૧થી૮000 સુધીનો રસ ઉદયમાં રહી શકે છે, એનાથી વધુ નહીં, તો સમ્યકત્વપુજના વિવક્ષિત નિષેકના ૮૦૦૧થી૧૨૦૦૦ સુધીના રસવાળા દલિકો, મિશ્રના ૧૨૦૦૧થી૧૫૦૦૦ સુધીના રસવાળા દલિકો તથા મિથ્યાત્વના ૧૫૦૦૧ અને ઉપરના રસવાળા દલિકો વિરક્ષિત નિષેકમાં (વર્તમાન નિષેકમાં= દસમા સમયે ઉદયપ્રાપ્ત નિષેકમાં) રહેલા આ બધા દલિકોનો રસ વિશુદ્ધિવશાત્ હણાઈ જાય છે અને ૧થી૮૦૦૦ સુધીનો થઈને જ ઉદયમાં આવે છે. અર્થાત્ મિશ્ર અને મિથ્યા નું દલિક પણ સમ્ય) મો)ના દલિકરૂપે જ ઉદયમાં આવે છે. એટલે કે મિશ્ર અને મિથ્યાત્વનો વિપાકોદય નથી થતો પણ પ્રદેશોદય થાય છે અને સમ્ય૦મો, પણ ૧થી૮૦૦૦ સુધીના રસ તરીકે જ વિપાકોદય પામે છે. વર્તમાનનિષેકના ૮૦૦૧ થી ૧૨૦OO, ૧૨૦૦૧થી ૧૫OO૦ અને ૧૫OO૧ થી ઉપરના સત્તાગત બધા રસનું ૧થી૮૦૦૦ સુધીના રસ સુધી આ રીતે હણાઈ જવું એ ક્ષય કહેવાય છે. આ જ રીતે ઉદીરણાથી જે દલિક નીચે આવે છે તેનો રસ પણ ૧થી૮૦૦૦ સુધી રહી બાકીનો હણાઈ જાય છે આ પણ ક્ષય છે. ત્રણે પંજનું ઉદયાવલિકાની બહાર જે દલિક રહ્યું હોય છે તે પણ જો અપવતનાદિથી સ્વસ્વરૂપે જ નીચે આવી જાય તો સમ્યકત્વગુણને આવરી જ લે. એટલે વિશુદ્ધિવશાત્ જીવ એ દલિતોના વિપાકનો ઉપશમ કરે છે. અર્થાત્ એ દલિકો નીચે આવે તો પણ એનો ૮૦૦૦થી વધુ રસ ઉદયમાં ન જ આવી શકે એ રીતે દબાવી રાખે છે. આ ઉપશમ કહેવાય છે. આ ક્ષય નથી, કારણ કે ઉપર રહેલા દલિકોમાં અધિકરસ હણાઈ ગયો નથી. સત્તામાં તો પડ્યો જ છે. તે પણ એટલા માટે કે પછી અશુદ્ધિ આવે તો એ અધિક રસ ઉદયમાં પણ આવી શકે છે, હણાઈ જ ગયો હોય તો ઉદયમાં આવી ન શકે. માટે આ ઉપશમ કહેવાય છે. આ ક્ષય અને ઉપશમના પ્રભાવે મિશ્ર અને મિથ્યા૦મો) સ્વકાર્ય કરી શકતા નથી. અર્થાત્