Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 453
________________ કુખગતિ, આતપ, સ્થાવરદસક અને અશાતા આ ૩૧ પ્રકૃતિઓને એકેન્દ્રિયજીવ પોતાની તીવ્ર વિશુદ્ધિવાળી અવસ્થામાં બાંધતા નથી. પણ મધ્યમવિશુદ્ધિમાં જ બાંધે છે. એટલે એવી તત્પ્રાયોગ્ય વિશુદ્ધિમાં જ એનો જઘ સ્થિતિબંધ મળે છે. તથા આ પ્રકૃતિઓનો જે જઘન્યસ્થિતિબંધ થાય એના કરતાં પંચે જાતિ વગેરે રૂપ તે તેની પ્રતિપક્ષી પ્રકૃતિનો જધસ્થિતિબંધ વધારે ઓછો થાય છે. (N) શ્રી તત્ત્વાર્થસૂત્રમાં વિષયાવિષે દિવરમાં: ।।૪-૨૭ સૂત્રાનુસારે વિજ્યાદિમાં ગમન પછી અચ્યુતાદિમાં ગમન શકય નથી. જયારે અહીં સર્વત્ર બે વાર વિજ્યાદિમાં ગમન પછી ૩વાર અચ્યુતગમન દર્શાવ્યું છે, માટે એ મતાંતર જાણવો. વિજ્યાદિમાં ગયેલો પણ અનેક ભવો કરે છે એવો એક મત છે. (છ્તાં આ બધા ભવો મનુષ્યના અને વૈમાનિક દેવના જ હોય.) (૦) શંકા :- મિથ્યાત્વીજીવ યથાપ્રવૃત્તકરણાદિ વિશુદ્ધ અવસ્થામાં તો પુવેદ જ બાંધે છે. તભિન્ન અવસ્થામાં ત્રણે વેદ બાંધે છે. એમાં સ્ત્રીનપુંવેદનો જે જય સ્થિતિબંધ હોય ત્યાંથી લઇને ૧૦કોકો૦ સુધી ત્રણે વેદ બંધાઇ શકે છે. તો આ સ્થિતિબંધ દરમ્યાન સાતાવેદનીયાદિની જેમ પરાવર્તમાનમધ્યમપરિણામે એનો જઘન્યરસબંધ કેમ નથી કહ્યો? સમાધાનઃ-પરાવર્તમાનમધ્યમપરિણામે તત્કાયોગ્ય બધા સ્થિતિ-સ્થાને જઘન્ય૨સબંધ માત્ર અઘાતીપ્રકૃતિઓનો થાય છે, ઘાતીપ્રકૃતિઓનો નહીં...ાતીપ્રકૃતિઓનો તો વિશુદ્ધિથી જ જઘન્યરસબંધ થાય છે એ જાણવું. તે પણ એટલા માટે કે એના અધ્યવસાયો અનાક્રાન્ત હોય છે. એટલે, ઘટતા જતા તે તે દરેક સ્થિતિબંધે સંભવિત જઘરસબંધ અશાતાદિની જેમ એક સરખો ન રહેતા ઉત્તરોત્તર ઘટતો જ જાય છે. અને તેથી સંભવિત સર્વ જ સ્થિતિબંધે જે ઉવિશુદ્ધિ સંભવતી હોય એ વિશુદ્ધિથી જ જ૦૨સબંધ થાય છે. (P) અતિ-શોકના જઘ૦૨સબંધક અપ્રમત્તાભિમુખ પ્રમત્તને જે કહ્યા છે, એમાં પ્રમત્તગુણઠાણાના ચરમ-દ્વિચરમાદિસમયો ન લેવા, કારણકે એ વિશુદ્ધચમાન અવસ્થા હોવાથી એ વખતે તો હાસ્ય-રતિ જ બંધાય છે, અતિ-શોક નહીં, પણ એવી વિશુદ્ધયમાન અવસ્થાની પૂર્વનો સમય લેવો. ૩૯૮

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488