Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 444
________________ સૂક્ષ્મ- બાદર : આ બન્ને પણ જીવવિપાકી પ્રકૃતિઓ છે. શંકા : એક કે અનેક શરીર ભેગા થવા છતાં જે ચર્મચક્ષુથી જોઈ ન શકાય આવા શરીરવાળા જીવો “સૂક્ષ્મ કહેવાય છે. આમાં ચર્મચક્ષુથી જોઈ ન શકાય” નો અર્થ “કોઇપણ ઇન્દ્રિયથી જાણી ન શકાય” એવો છે. અર્થાત્ સૂક્ષ્મનામકર્મ શરીરપુદ્ગલો પર એવી અસર કરે છે કે જેથી એ કોઇપણ ઇન્દ્રિયનો વિષય ન બની શકે. તો સૂક્ષ્મનામકર્મને પુદ્ગલવિપાકી કેમ ન કહી ? સમાધાન : બેશક સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવોનું શરીર આવા સૂક્ષ્મ પરિણામવાળું હોય છે. પણ પુગલવિપાકી એવી વર્ણ-ગંધ વગેરે પ્રકૃતિઓની જીવના પરિણામ પર જેમ કોઈ સાક્ષાત્ અસર હોતી નથી, અને તેથી શુક્લવર્ણવાળાને આટલો સ્થિતિબંધ હોય ને કૃષ્ણવર્ણવાળાને એનાથી હીન કે અધિક હોય આવો કોઇ ફરક પડતો નથી. એ જ રીતે યોગ વગેરેમાં ફરક પડતો નથી. આવું સૂક્ષ્મ-બાદર માટે નથી. બાદરજીવ જેટલા યોગ-સ્થિતિબંધ વગેરે સૂક્ષ્મજીવને હોતા નથી. અર્થાત્ પૂર્વે જાતિનામકર્મ માટે જણાવ્યું તેમ સૂક્ષ્મ-બાદરનામકર્મની સીધી જીવના પરિણામો પર અસર છે, માટે એ જીવવિપાકી છે. આ જ રીતે પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મની પણ સીધી જીવપરિણામ પર અસર હોવાથી એ પણ જીવવિપાકી છે. પણ પ્રત્યેક-સાધારણ નામકર્મ માટે એવું નથી. જીવ પ્રત્યેક હોય કે સાધારણ હોય એના કારણે જીવની કષાયપરિણતિ કે વીર્યપરિણતિ વગેરેમાં કશો ફેર પડતો નથી. એટલે જ યોગના કે સ્થિતિબંધના અલ્પબદુત્વમાં જેમ સૂક્ષ્મ-બાદર કે પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોના . બોલ અલગ અલગ આવે છે એમ પ્રત્યેક-સાધારણના આવતા નથી. આમ પ્રત્યેક-સાધારણ પુગલવિપાકી હોવાથી જ ચૌદમે ગુણઠાણે શરીરસંલગ્ન શરીરનામકર્મ વગેરેનો જેમ ઉદય હોતો નથી એમ પ્રત્યેકનો પણ ઉદય હોતો નથી, પણ ત્રસાદિનામકર્મનો ઉદય હોય છે. સુભગ-આય-યશનામકર્મ : આ ત્રણ ને એની પ્રતિપક્ષી દુર્ભગ વગેરે ત્રણ પ્રકૃતિઓ K૩૮૯

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488