Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 438
________________ અવયવ એની મૂળ અવસ્થાથી કંઇક ને કંઇક તો ચ્યુત થયો જ હોય છે, એમ ગમે તેવા રોગીને પણ કોઇક અવયવ તો યથાવસ્થિત હોય જ છે. માટે આ બન્ને પ્રકૃતિઓ ધ્રુવોદયી ગણાયેલી છે એમ સમજવું પડે..... આ વ્યાખ્યા સ્વોત્પ્રેક્ષિત છે એ જાણવું. ( 1 ) આનુપૂર્વી નામકર્મ ક્ષેત્રવિપાકી છે એનો અર્થ આવો વિચારી શકાય છે. જ્યારે પરભવાયુબંધ ફાઇનલ થાય છે ત્યારે જ પરભવનું ઉત્પત્તિક્ષેત્ર પણ નક્કી થઇ જાય છે. એ વખતે બંધાતું આનુપૂર્વીનામકર્મ જીવે ક્યાંથી વળવું એ પણ નક્કી કરી દે છે. જેમ આજકાલ લેસરગાઈડેડ મિસાઇલ જે છોડવામાં આવે છે, એમાં છોડતી વખતે જ મિસાઇલ ક્યાંથી કઇ તરફ વળી જશે એ નક્કી હોય છે. જેવું એ વળવાનું ક્ષેત્ર આવે કે તરત લેસરસિસ્ટમ એને એ દિશામાં વાળી દે છે. આવું જ પ્રસ્તુતમાં જાણવું. પહેલેથી નક્કી થયેલું ક્ષેત્ર જેવું આવે કે તરત આનુપૂર્વીનામકર્મ ઉદયમાં આવીને જીવને યોગ્યદિશામાં વાળી દે છે. માટે એ ક્ષેત્રવિપાકી (=અમુક ચોક્કસ ક્ષેત્રમાં વિપાક=રસથી ઉદય પામનાર) કહેવાય છે. (૭) શંકા : પ્રત્યેક અને સાધારણનામકર્મની જેમ સૂક્ષ્મ અને બાદરનામકર્મને પણ પુદ્ગલવિપાકી કેમ ન કહી? સમાધાન : આ શંકાનું સમાધાન મેળવતાં પહેલાં જીવવિપાકી પ્રકૃતિઓનો જીવવિપાક શું છે ને પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો પદ્ગલ પર વિપાક શું છે? એ વિચારીએ.... જ્ઞાનાવરણીય કર્મો આત્મદ્રવ્ય પર એવી અસર કરે છે કે જેથી એનો જ્ઞાનપરિણામ (જ્ઞાનગુણ) પ્રગટ ન થઇ શકે. પ્રગટ જ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે ને અજ્ઞાન-વિકૃતજ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે. જ્ઞાનાવરણકર્મના ઉદયથી કર્મના રસને અનુસરીને અજ્ઞાનપરિણામ પ્રવર્તે છે, માટે એ જીવવિપાકી છે. એમ દર્શન-અદર્શન પરિણામ, સમ્યક્ત્વમિથ્યાત્વપરિણામ, ક્ષમાદિ (આત્મરમણતા) ક્રોધાદિ (પુદ્ગલરમણતા) પરિણામ, વીર્ય-પ્રમાદાદિ પરિણામ આ બધા દર્શનાવરણાદિ ઘાતીકર્મના ૩૮૩

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488