Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 424
________________ હોય છે. એ ઉદયવતી બન્ને પ્રકૃતિની પ્રથમસ્થિતિ પોતાના ઉદયકાલ પ્રમાણ અને બાકીની ૧૯ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ છોડીને તેની ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી દલિકોને ખસેડીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરે છે. જે પ્રકૃતિનો બંધ અને ઉદય બન્ને હોય, તેનો દલિકો પ્રથમસ્થિતિ અને બીજીસ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિનો બંધ હોય અને ઉદય ન હોય, તે પ્રકૃતિના દલિકો બીજીસ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિનો બંધ ન હોય અને ઉદય જ હોય, તે પ્રકૃતિના દલિકો પ્રથમસ્થિતિમાં નાંખે છે અને જે પ્રકૃતિનો બંધ ન હોય અને ઉદય પણ ન હોય, તે પ્રકૃતિના દલિકો પર પ્રકૃતિમાં નાંખીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરે છે. અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી સંક્રોધના ઉદયવાળો પુરુષવેદી સૌ પ્રથમ અંતર્મુહૂર્તકાળમાં નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્તકાળમાં સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારબાદ અંતર્મુહૂર્તકાળમાં હાસ્યષકને ઉપશમાવે છે. જે સમયે હાસ્યાદિ-૬નો સંપૂર્ણ ઉપશમ થાય છે. તે જ સમયે પુત્રવેદનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી સમયગૂન બે આવલિકાકાળે પુત્રવેદનો સંપૂર્ણ ઉપશમ થાય છે. ત્યારપછી અંતર્મુહૂર્તકાળમાં અપ્રત્યાખ્યાનીય ક્રોધ અને પ્રત્યાખ્યાનીય ક્રોધને એકીસાથે ઉપશમાવે છે. તે જ સમયે સંવક્રોધનો બંધ-ઉદયઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી સમયપૂન બે આવલિકાકાળે સંક્રોધને ઉપશમાવે છે. ત્યારપછી અંતર્મુહૂર્તકાળમાં અપ્રત્યાખ્યાનયમાન અને પ્રત્યાખ્યાનીયમાનને એકીસાથે ઉપશમાવે છે. તે જ સમયે સંવમાનનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી સમયપૂન બે આવલિકાકાળે સંવમાનને ઉપશમાવે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળમાં અપ્રત્યાખ્યાનીયમાયા અને પ્રત્યાખ્યાનીમાયાને ઉપશમાવે છે. તે જ સમયે સંવેમાયાનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી ૧૦મા ગુણઠાણા સુધી માત્ર સંતુલોભનો જ ઉદય હોય છે. ૩૬૯ ૨૪

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488