________________
• શબ્દસમીપ • થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધન્વતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે નષ્ટ થયા, પરંતુ એનું દોહન આજે હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ છે.
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા'ની રચના કરી. વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલામાં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કાલગ્રસ્ત અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગૃહીત થયા છે.
ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ૧૦પ ઉદાહરણ-ગાથાઓ એવો સંકેત આપે છે કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ બહુ ઓછી છે. ચૌલુક્ય તરીકે કુમારપાળને સંબોધન કરીને એની પ્રશસ્તિ કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે :
“कासिज्जदेसलुंटणकाहाराणिज्जमाणकणयाई कासारं व बुहाणं अकरिमं देसि चालुक्क ।।"
(દે .ના.મા., ૨.૨૮) “કાસિજ્જ (કાકસ્થલ નામે પ્રદેશ) દેશ લૂંટી પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણને જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય તેમ, હે ચૌલુક્ય, તું વિદ્વજ્જનોને આપે છે.”
આ ગ્રંથનાં ‘રયણાવલિ', ‘દેસીસ૬ સંગ્રહો', ‘દેશીનામમાલા' અને ‘દેશીશબ્દસંગ્રહ’ જેવાં નામો મળે છે. આમાં કુલ ૩,૯૭૮ શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં ૧૦0 તત્સમ શબ્દો, ૧૮૫૦ ગર્ભિત તદ્દભવ શબ્દો, પ૨૮ સંશયયુક્ત તદ્ભવ શબ્દો અને ૧૫00 દેશી શબ્દો છે.૧૮ ‘દેશીનામમાલા'નું
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • સંશોધન સૌપ્રથમ ડૉ. બુલરે ક્યું. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય કોશો હતા અને એ કોશોનો ઉલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તો હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાતા’ એ એકલો જ સારો કોશ ગણી શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ‘દેશીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ , દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલ ક અને શીલાંક જેવા કોશકારોનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતા દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ‘દેશીનામમાતા’ મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે, આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો" અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે ,* આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બન્યો છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસદર્ય ધરાવતાં ઉદાહરણોથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે.
શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી, સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી. ‘કાવ્યાનુશાસનના મુખ્ય ત્રણ ભાગ છે : એક સૂત્ર, બીજી વ્યાખ્યા અને ત્રીજી વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે. સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિ'ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે ‘વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ – ત્રણેના કર્તા હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્ય ‘faifજનાઝાપુપરિન્તુ'માં દર્શાવ્યું છે તેમ ‘TTra' જેવા ગ્રંથો પોતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘ના’ માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખ્યાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર',
* જે માંના કેટલાક શબ્દો જોઈએ :
– ઊંડું, ૩૪મનુk - ઊલટું, કાથરના – ઊથલ, Tvg? - ઘાઘરો, જાણો - ખોડો, ઘણો – ખભો, uTorrf - ઓઢણી, કર – ઉધઈ, relf - ગંડેરી, શિafકા - ખીજ , ofો - ખાટકી, 3gી – ઉકરડી, કf - અડદ, જવી – ખડકી, ગો - ગઢ.
2 ૧૬ ]
0 ૧૭ ]