Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 83
________________ • પ્રયોગશીલ સર્જક ફિરાક • પોતાની વિભાવના કાવ્યસર્જન મારફતે સતત પ્રગટ કરતા રહ્યા. ‘ફિરાકના કહેવા પ્રમાણે એમણે આલેખેલો પ્રણય એ પ્લેટોનિક કે ભૌતિક પ્રણય નથી, એમાં શારીરિક તત્ત્વ પણ છે. ક્યાંક ‘ફિરાક' પ્રણયનું વ્યંજનારહિત સીધે સીધું આલેખન કરે છે. તેઓ કહે છે : યહ ભીગી મસ રૂ પકી જ ગમગાહ ટે યહ મહે કી હું ઈ ર સ મસી ૨૧ મુક રાહ ૮, તુઝે ભરત ૨૨ વકત નાજુ કે બદન પરે વાં હું કુ છ જામ નમક7 * સર સર & ટે **; થસે Miાબ ૨ પ પણ હું એ કે અાશિક સે ઉના ૬ લે કે સાદા જોડે કી વહે મલજ ગાહ ટ . • શબ્દસમીપ • આ જીવંત પ્રેયસીના નખ, કેશ, સ્વભાવ અને પ્રેમનું ‘ફિરાક’ સજીવ ચિત્રણ કરે છે. તેઓ કહે છે : રસ મેં ડૂબા હું આ લહેરાતા બદન ક્યા કહના | કરવટે લેતી હું ઈ સુબહેચમન* ક્યા કહના // મદભરી આંખોં કી અલસાઈ નજર પિછલી રાત | નિંદ મેં ડૂબી હું ઈ ચન્દ્રકિરન ક્યા કહના // દિલ કે આઈને મેં ઈસ તરહ ઉતરતી હૈ નિગાહ } જૈસે પાની મેં લચક જાયે કિરન ક્યા કહના // તેરી આવાજ સવેરા તેરી બાતે તડ કા'= | આંખેં ખૂલ જાતી હૈ એજાજેસ ખુન ક્યા કહના // ‘ફિરાક'ના પ્રારંભિક કાવ્યસર્જન પર કેટલાક કવિઓનો પ્રભાવ જોવા મળે છે. ‘આસી' ગાજીપૂરીની રુબાઈઓથી પ્રભાવિત થઈને રુબાઈધ્યાત લખવા લાગ્યા. ત્યારબાદ ‘જોશ’ મલિહાબાદી અને મોમિનના સર્જનનો રંગ એમની કૃતિઓમાં જોવા મળતો, પરંતુ એ પછી એમની કાવ્યપ્રતિભાએ આગવું જ રૂપ ધારણ કર્યું અને એથી ‘ફિરાક’ આજે પણ ઉ સાહિત્યમાં એમના આગવા સર્જી કમાનસથી અનોખું સ્થાન ધરાવે છે. ફરમાયશી લખાણ લખવાના તેઓ વિરોધી છે. હૃદયમાં જાગેલો ઊર્મિધબકાર શબ્દદેહ ધારણ કર્યા વિના રહી શકે નહીં ત્યારે જ તેઓ લેખિની ચલાવે છે. એમણે એક પત્રમાં નિયોજને લખ્યું કે, જેમ રુદન કરવાથી કોઈ ફાયદો નથી, તેમ છતાં આંખમાં આંસુ ઊમટી આવે છે, તેવી જ રીતે મજબૂરી અને માયુસી(નિરાશા)ને કારણે ગઝલ રચાઈ જાય છે. | ‘ફિરાક” ગોરખપુરીએ એમની ગઝલ, રુબાઈઓ અને નજમોમાં નવાનવા શબ્દો આપ્યા, અનોખી ઉપમાઓ આપી અને મુગ્ધ કરે તેવી કલ્પનાની રંગલીલા આલેખી. આથી જ એમની કવિતા પર મોહમિલ(અર્થહીન દુર્બોધતા)નો આરોપ મૂકવામાં આવ્યો. ઉર્દૂ સાહિત્યમાં પ્રણય વિશે શિષ્ટ અને સંકેતની ભાષામાં વાત થતી. સંસ્કૃત સાહિત્યનું આકંઠ પાન કરનાર ‘ફિરાક'નું શૃંગાર-નિરૂપણ ઉર્દૂ સાહિત્યમાં તદ્દન જુદું પડે છે. કેટલાકે આમાં કલામયતા જોઈ, તો કોઈને વાસ્તવ-આલેખનનો હિંમતભર્યો પ્રયાસ દેખાયો. ‘ફિરાકની આવી કવિતા પર અશ્લીલતાનો આરોપ મૂકવામાં આવ્યો. આમ છતાં ‘ફિરાક’ પ્રણય વિશેની ૧૮. બાગની સવાર, ૧૯. બપોર, ૨૦. ચમત્કારની વાત 0 ૧૫૪ ] યહે વસ્તકા હું કરિશ્મા કિ હુન જાગ ઉઠા, તેરે બદનકી કોઈ અબ ખુ દ આગ હી દે ખે; જરા વિસાલ કે = બાદ આઈના તો દેખો એ દોસ્ત તેરે જ માલક? દોશીજ ગી* નિખર આઈ. ‘ફિરાક કલા ખાતર કલામાં માનનારા કવિ છે. જેનું અંતરંગ અને બહિરંગ સુંદર હોય તે કવિતા, એમ માને છે. વળી આ ભાવુક પ્રકૃતિનો કવિ ક્યારેક પ્રણયના આવેગથી ધસમસતી ગઝલ કહે છે, તો ક્વચિત્ ચોપાસના જીવનથી પ્રભાવિત થઈને એકાએક ઇન્કલાબી નજમ કહેવા માંડે છે. વળી એવામાં પ્રિયતમા યાદ આવી જાય તો પ્રેમની સરવાણી ફૂટી નીકળે છે. ‘ફિરાક ગોરખપુરીએ અગણિત કવિતાઓ, ગઝલ, રુબાઈ અને મુક્તકો (કતઆત) લખ્યાં છે. તેઓ ઉચ્ચ કોટિના સમીક્ષક પણ છે, છતાં વિશેષ તો ગઝલમાં અને તેમાં પણ ગઝલના શેરમાં એમનું પ્રદાન અમીટ છે. તેમના શેરની સંખ્યા સેંકડો સુધી પહોંચે છે અને તેની સાહિત્યિક ગુણવત્તા ઘણી ઊંચી છે. આવા કેટલાક શે'ર જોઈએ : શામ ભી થી ધૂઓ – ધૂઓ, હુંફન ભી થા ઉદાસ - ઉદાસ; દિલ કી કઈ કહાનિયાં યાદ સી આકર રહ ગઈ ! ૨૧. રસભરી, ૨૨. આલિંગન, ૨૩. નરમ વસ્ત્રો, ૨૪. સુસવાટો, ૨૫. ઊંધ્યા પછી, ૨૬. પડખાં, ૨૭. ધવાયેલાં, ૨૮ મિલન, ૨૯. મિલન પછી, ૩૦. સૌંદર્યનું, ૩૧. કૌમાર્ય 0 1પપ ]

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152