________________
• શબ્દસમીપ • જ બતાવી આપે છે કે આ નાટક ભજવાશે - ભજવવાને કોઈ પણ પસંદ કરશે - એમ હું પોતે હોતો આશા રાખતો. અને તે પણ સામાજિક ક્રાંતિ સાથે સમભાવનું આકર્ષણ એટલું મોટું છે, ખાસ કરીને વિચારશીલ કિશોરકિશોરી યુવકયુવતી વર્ગને, કે આમાંના બે-ત્રણ નેહાના પ્રવેશો અમદાવાદ અને મુંબઈની કૉલેજો અને હાઈસ્કૂલોનાં નાટ્ય કલાશોખી કિશોરકિશોરીઓ યુવક યુવતીઓએ— ચોપડી પ્રકટ થયા પછીના પહેલાં વર્ષોમાં મ્હારી રજા મેળવીને – પોતાના સ્નેહસંમેલનાદિ રમતગમત-વિનોદનોના સમારંભોમાં ભજવેલા હતા. એ ઉત્સાહી, હને નામે તેમ દીઠે અજ્ઞાત રહેલ – ભાઈબહેનોને આ બીજા મુદ્રણ પ્રસંગે સંભારવા અને તેમનો આમ જાહેર ઉપકાર માનવો એ હારી ફરજ છે.
* “આ નાટિકાને તખ્તા ઉપર આણવાની શી શી મુશ્કેલી છે તે ઉપર જણાવાયું. તે પછી પણ છેવટ ઉમેરવાનું રહે જ કે જે નટોની ટોળી સીનસીનરી તો શ્રોતાપ્રેક્ષકોની કલ્પનાને સોંપી દેવાય અને અફલાતૂની સંવાદનાં ભાષણો તત્ત્વ સમાલીને ટુંકાવાય એમાં શી મોટી મુશીબત છે એમ આને તખ્તા ઉપર આણવાનું સાહસ કરે જ, તો એ સાહસિક નટોની કાબેલિયત પ્રમાણે આમાંના દરેક દેશ્યમાં તખ્તાલાયકીનાં જુદાં જુદાં સ્વરૂપ પ્રકટશે જ એવી પણ હારી શ્રદ્ધા છે.
મુંબાઈ, ઈ. ૧૯૪૯, સં. ૨૦૦૫" પુસ્તકના ‘ડમી'ના પ્રથમ પાના પર પ્રો. બળવંતરાય ઠાકોરે “હારી જોડણી માટે મુખ્ય સૂચના' એ મથાળું કરીને પાંચ મુખ્ય સૂચનાઓ લખી છે I હકાર (૧) મોટી મોટી મોટુંમાં નહીં. (૨) અમને, અમારું, અમે, અમારાથી, અમારામાં – એ
બહુવચનોમાં નહીં (૩) પણ હમને, હમારું, હમે, હમારામાં, હમારાથી,
વહેમ, વહેવું, કહેવું, હેવું, આવું, એમ બીજે બધે ખરો; જો કે ના હોય તો પણ ભૂલ ન ગણવી. કેમ કે હકારનો
વાપર વિકલ્પ optional એવો મ્હારો નિયમ છે. * હવેનો ભાગ પુસ્તક છપાવવા મોકલાવતા અગાઉ કર્તાએ પેન્સિલથી લખેલો છે.
૨૨૨ ]
• ‘ઉગતી જુવાની’ની અપ્રગટ મુદ્રણપ્રત •
વિશે ‘વિષે’ નહીં. | II મહારે જોઈએ છે -Iwant, થવું જોઈએ ought to be વગેરેમાં
ઈએ પરંતુ જોવું ધાતુ(to see)નાં રૂપોમાં જોઈયે. દાખલો-દાળ
શાકમાં મીઠું જોઈએ, હવે આ છબી જોઈયે. બધાં ક્રિયાપદ રૂપોમાં કરિયે જઈયે અપનાવિયે એમ ઈયેથી જ જોડણી કરવી. ઉપર જોઈએ અપવાદ જ છે. કેમ કે એ ધાતુનાં તમામ રૂપો થતાં નથી.
TV સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત પ્રમાણે જ . V પણ સંસ્કૃત નહીં, પ્રાકૃત અને દેશ્ય શબ્દોની જોડણીમાં ઇ, ઈ,
ઉ, ઊ, વિકલ્પ જ્યાં જે ઠીક લાગે છે અને કવિતામાં તો છંદોબંધ
જે સ્થાને જે ગુરુલઘુ માગે તે પ્રમાણે . નાટકના સત્તાવનમાં પાનાથી (પૃ. ૬૧, ૬૨ સિવાય) બાકીનું આખું નાટક તેમજ ટિપ્પણની સંપૂર્ણ ‘ડમી’ મળે છે. આમાં પ્રો. ઠાકોરે સુધારાવધારા કર્યા છે, જેમાંના ઉલ્લેખનીય સુધારાઓ નીચે પ્રમાણે છે : પૃ. ૭૪ પરની ગઝલમાં પ્રથમ આવૃત્તિમાં એક કેડી આ પ્રમાણે છે
‘જિગરને ક્યાં, હે પ્રભો,
છેડા પણ સહેવા પ્રભો. ' ગઝલની ભાષાને જોઈને નીચે પ્રમાણે ઉચિત સુધારો કરતા લાગે છે–
‘જિગર તે ક્યાં, હે ખુદા !
છે 31 જી વનની મુ દા. ' ચોથા પ્રવેશને અંતે લાવણીમાં ગવાતી કવિતા સાથે પાંચ યુગલ નાચે છે. ‘તાબ્લો' રચે છે. અહીં પ્રવેશને અંતે લેખક ઉમેરે છે :
વન્સમોર 'નો હુકમ માનવો જ પડે એટલા જોરશોરથી થાય તો ઉપલી જ કડીને બદલે તે પછીની બીજી કડી પ્રયોજી શકાય માટે નાટકને અંતે પરિશિષ્ટ લેખે છાપી છે.” * આ કવિતા “અસલનેરનાં નૂર ' એ શીર્ષક હેઠળ ‘ભણકાર (૧૯૫૧)માં ગુછ-૨,
કાવ્ય-૨, પૃ. ૩૨) થોડા ફેરફાર સાથે મળે છે. અહીં નાટકમાં આવતી અને તે સાથે ટિપ્પણમાં મળતી વધારાની કડીઓ ભેગી કરીને કવિતા આપવામાં આવી છે.