________________
‘ધૂમકેતુ’નો સ્થિર પ્રકાશ
• શબ્દસમીપ • ગુજરાતમાં ટ્રેજેડીનું વસ્તુ નથી એમ કહેવાય છે, પણ આનાથી વધુ ટ્રેજેડીની સામગ્રી ભાગ્યે જ બીજું કોઈ સ્થળેથી મળી શકે !
મણિલાલ પર દિવાળીબાઈએ લખેલા પ્રેમપત્રો ઉપરની વાતના સમર્થનમાં જોવા જેવો છે. એક સ્ત્રી સાથે પ્રેમસંબંધ બાંધ્યો. તેની બેવફાઈનો અનુભવ થતાં કોઈ સ્ત્રી સાથે એવો સંબંધ નહીં બાંધવાનો નિર્ણય કરે છે એ જ વખતે દિવાળીબાઈના પ્રેમપત્રો આવે છે. મણિલાલ તેનાથી વિમુખ રહેવાનો પ્રયત્ન કરે છે તેમ તે સ્ત્રીનો પ્રેમ તેમના પર વધુ ને વધુ ઢળતો જાય છે ! છેવટે તેને પ્રેમની ફિલસૂફી સમજાવે છે અને તેનો અંગીકાર કરે તે પહેલાં તો તે સ્ત્રી પિયુવિરહમાં મૃત્યુ પામે છે ! જેને પોતાનું માન્યું તે પોતાનું થયું નહીં અને જેનાથી દૂર રહેવા ગયા તે નિઃસ્વાર્થ પ્રેમ દાખવીને સ્વાર્પણ કરી ગયું ! તેને પોતે ઓળખી શક્યા નહીં એનો ઊંડો ઘા મણિલાલના હૃદયમાં લાગ્યો. આના જેવી બીજી ટ્રેજેડી કઈ હોઈ શકે ?
વળી આ પ્રેમપત્રોની ભાષામાં રસિકતા, કોમળતા ને સચોટતા છે તે સાહિત્યિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્યમાં પ્રેમપત્રો, નવલકથાનાં પાત્રોએ લખેલા હોય તેને બાદ કરીએ તો, વાસ્તવિક સ્વરૂપમાં ભાગ્યે જ જોવા મળશે. ( કલાપી પરના હજુ પ્રગટ થયેલો નથી.) આ સંજોગોમાં દિવાળીબાઈના પત્રોનું આપણા સાહિત્યમાં આગવું સ્થાન ગણાવું જોઈએ. આ ગ્રંથનો એ એક કીમતી અંશ છે.
છેવટે મૂકેલાં ટિપ્પણો અભ્યાસીઓને ઉપયોગી સુચનો, ટીકાઓ ને સંદર્ભો પૂરાં પાડે છે.
સંપાદકે આની પહેલાં મણિલાલની ગદ્યપદ્ય કૃતિઓનાં અનેક સંપાદનો ઉપલબ્ધ કરી આપ્યાં છે. આ કૃતિનું સંપાદન તે સૌના શિરમોર જેવું છે.
ઈ. સ. ૧૯૨૬માં ‘તણખા મંડળ-૧' પ્રગટ થતાં ગુજરાતી નવલિકા વિચાર, વિષય, લાગણી અને સહઅનુભૂતિના નવા ફલક પર પ્રયાણ આદરે છે. અગાઉની ભદ્ર અને સુખી સમાજ આસપાસ વીંટળાયેલી, દાગી-તકિયે બેસીને વિચારતા પ્રશ્નોને ચર્ચતી કે વાગોળતી તેમ જ સમાજસુધારાના સમર્થનાથે કે ક્યારેક પ્રચારાર્થે પ્રયોજાતી નવલિકાની ત્રિજ્યા ધૂમકેતુના આ વાર્તાસંગ્રહથી વિસ્તરે છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી નવલિકામાં મલયાનિલ'ની ‘ગોવાલણી” જેવી એક-બે વાર્તાઓ મળતી હતી અને જ્યારે કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા કાચી-પાકી ટૂંકી વાર્તાઓનો ફાલ આપતા હતા ત્યારે ધૂમક્તએ એમની નવલિકામાં ધ્વનિતત્ત્વની માવજત, પ્રમાણભાને, પાત્રનાં વર્તનો વચ્ચેની સુસંગતતા વિશે સૌ પ્રથમ સભાનતા દાખવી. રોમેન્ટિક શૈલી ધરાવતા આ ભાવનાશાળી સર્જક પાત્રો અને પરિસ્થિતિની એક નવી જ મુગ્ધતાભરી રંગીન સૃષ્ટિનો પરિચય કરાવ્યો. સર્જકની સંવેદનાની વિશાળ વ્યાપ્તિને કારણે જ નાનીશી કડી સમો આ સાહિત્યકાર એક મોટા માર્ગનું રૂપ ધારણ કરે છે.
લેખકના ગહન અને વ્યાપક સમભાવને કારણે જ નિમ્ન કે સામાન્ય ગણાતા માનવીની ઝળહળતી ચિત્તસમૃદ્ધિ આલેખાઈ છે. સાવ નીચલા થરના માનવીઓની વ્યથા,
D ૧૭૩ ]
૧૭૨