Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 56
________________ • શબ્દસમીપ • નાની ફોઈ સીકીટુ નાડુઆ સાથે નવવધૂના ખંડમાં જાય છે અને તેને આશ્વાસન આપે છે. પતિનો પ્રેમ કેવી રીતે જીતી શકાય તેની નાડુઆને શીખ આપે છે અને ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં પતિ સામે કઈ રીતે વર્તાય તેની સલાહ આપે છે. નાડુઆને સીકીટુએ આપેલી સલાહ પછી તરત જ લેકિન્ટોની દોરવણી હેઠળ કેટલાક સભ્યો મંદિરમાં ધસી આવે છે. લેકિન્ડો પોતાના સાથીઓને નવવધૂના ખંડમાંથી નાખ્યુ અને તેના વરરાજા-ખોપરીને લઈ આવવાનું સૂચવે છે. સમીજી અને મેલાન્વી નાખ્યુઆને મંદિરની બહાર લઈ જાય છે, જ્યારે કીટાવી ખોપરી સાથેનો ઘડો લઈ આવે છે. ખોપરી મંદિરના આંગણામાં લાવી તે લેકિન્ટોને સોંપવામાં આવે છે. મકુમ્બની હૃદયવેધક ચીસ વચ્ચે લેકિન્ડો આ ખોપરીના ચૂરેચૂરા કરી નાખે છે. | લેરેમાં પરાજિત થતાં આ યુવાનો સાથે સમાધાન કરવાનું પસંદ કરે છે. આશ્ચર્યજનક રીતે એ લેકિન્ડોને વાંગાના મંદિરના વારસ તરીકે સ્થાપવાનું કહે છે અને નાડુઆ અને લેકિન્ડોનાં લગ્નને સંમતિની મહોર મારે છે. નાટકના અંતે લેકિન્ડો યુવાનોના આનંદ વચ્ચે આશ્ચર્ય તથા મૂંઝવણ અનુભવતા વડીલો વચ્ચેથી નાખ્યુઆને દોરી જાય છે. | ‘ધ બ્રાઇડ'નાં પાત્રો મુખ્ય ત્રણ કક્ષામાં વહેંચાયેલાં છે. ખાસ કરીને લેકિન્ટો દ્વારા દોરવાતા સમાજનો યુવાન વર્ગ, શુન્ડ દ્વારા દોરવાતા વડીલો અને નાટકના અંતે મંદિરનો પાત્રસમૂહ. આ સિવાયનાં પાત્રોમાં મેરીઓ, તેની પત્ની ટાટુ, તેની બહેન સિકિટુ અને તેની દીકરી નાખ્યુઆનો સમાવેશ થાય. તાજેતરમાં જ સુન્નત કરાયેલા તેવા યુવાનોના જૂથને “રિકા ઑફ આલ્બીનો” તરીકે ઓળખવામાં આવ્યા છે. ‘આલ્બીનો’ શબ્દ ગોરા પરદેશીઓનો સંદર્ભ સુચવે છે, જે લોકો આ મેદાનમાં (વસાહતમાં) વસ્યા છે અને જેમણે પોતાનો ધર્મ સ્થાપ્યો છે. પુરુષો રિકામાં નાડુઆને સ્વીકારવા તૈયાર છે, જ્યારે સ્ત્રીઓ ઇચ્છતી નથી કારણ કે એ પરદેશી છે અને તેની સુન્નત જેવી ધાર્મિક વિધિ કરાઈ નથી. વાસ્તવમાં નાડુઆ પ્રત્યેના વિરોધનું મૂળ કારણ અન્ય સ્ત્રીઓનો એના તરફનો દ્વેષ છે. ટુટાની ઉક્તિથી એ વાત પ્રગટ થાય છે કે સ્ત્રીઓની મંડળીમાં તેની સૌથી વધુ ઈર્ષા થતી હતી. તેનું કંઈ કારણ નથી. શા માટે સુન્નત જેવી વિધિથી બાકાત એવી પરદેશી છોકરી આપણા નૃત્યની રાણી બનવી જોઈએ. ૧૦૦ ] • આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • કાજીરૂ : કિકોનો છોડ ગમે ત્યાં વાવો પણ તેને ફૂલ તો લાલ જ આવવાનાં, પરદેશીના જંગલીપણાનો કોઈ ઇલાજ જ નથી. ક્ય : રાતના વાસી દૂધ જેવી એની આાંખો, તાડનાં નવાં પાંદડાં સરખી લોચા જેવી આંગળીઓ. ટા અને એને તમે રૂપાળી કહો છો ? એમાં તો દેખાય છે નકરું પરદેશીપણું. ખરે ખર તો સ્ત્રી દેખાવી જોઈએ સ્ત્રી જેવી કોઈ બુદ્દેઢા નકશીકારના મહોરા જેવી નહીં. નાટકનો બીજો સંઘર્ષ તે યુવાન અને વડીલોની પેઢી વચ્ચેનો છે. આવા વડીલોનો અગ્રણી શુનુ માને છે કે વડીલોના ડહાપણ સામે પ્રશ્ન કરવો, તે તદ્દન ખોટી રીત છે. એ આરોપ મૂકે છે કે પરદેશીઓ આ યુવાનોના મનમાં વાઝિમુનો વળગાડ લગાડે છે અને તેથી યુવાનો પરંપરાનો વિરોધ કરે છે. આ નાટકમાં લેકિન્ડો સિવાય અન્ય યુવાનોમાં વ્યક્તિગત ઉત્સાહનો અભાવ છે. મુખ્ય પાત્ર લેકિન્ટો નવા સુશત કરાયેલા યુવકોની મંડળીનો નેતા છે. તે શુનુનો પુત્ર છે. પ્રદેશના વડીલોનો અગ્રણી શુનું નાટકના સંઘર્ષના કેન્દ્રમાં છે. નાડુઆ સાથેના પ્રેમને કારણે શુન્દુ અને લેકિન્ડો વચ્ચે સંઘર્ષ થાય છે. લેકિન્ડો ટોળીના સભ્યોને પરદેશીઓની કતલના હિંસક કૃત્યમાં સામેલ નહીં થવાના નિર્ણય તરફ દોરી જાય છે. નાટકના અન્ય સંઘર્ષોમાં પણ લેકિન્ડો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષપણે સામેલ છે. વાસ્તવમાં લેકિન્ટોનું પાત્ર પરિવર્તન માટેનું એક માધ્યમ છે. એ એના સાથીદારોને વડીલોની ઇચ્છા વિરુદ્ધ રિકામાં નાખ્યુઆને સ્વીકારવા સમજાવે છે, કારણ કે નાડુઆ ટોળીમાં જન્મી હતી અને ઊછરી હતી, તેથી એને પરદેશી માનતો નથી. લેકિન્ટો દુશ્મનોની કતલ કરવાના પરંપરાગત નિર્ણય સામે પડકાર ફેંકે છે અને જિંદગી પ્રત્યે વિધેયાત્મક વલણ અપનાવવાની વડીલોને હાકલ કરે છે. એ કહે છે, લેકિન્ટો : નાખ્યુઆ અમારી વચ્ચે જન્મી છે, અમારી સાથે ઊછરીને મોટી થઈ છે. અમે તેને ઓળખીએ છીએ એ જ પૂરતું કહેવાય. તમારી આસપાસ શ્વાસ લેતા જીવતા લોકોને તમે જુઓ એ પહેલાં તમે મૃતાત્માઓ અને દેવોની વાત શેની કરવા માંડો છો ? ૧૦૧ ]

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152