Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
માયા જ કાર્યસાધિકા છે તેમ માની મહારાજ જિનમંદિરમાં અગ્નિશૈતાલ અને ભદમાત્ર સાથે ગયા પછી તેઓએ સંકેત થતાં બે જણે આકાશ તરફ ઊડે તેમ નક્કી કર્યું ને નૃત્ય કરવા માંડયું.
પૂજારીએ આ વાત મહારાજા શાલિવાહનને કરી. ને રાજા નૃત્ય જેવા મંદિરે આવ્યો. નૃત્ય જોઈ ખુશ થય ને ત્રણે જણાને રાજસભામાં નૃત્ય કરવા આગ્રહ કર્યો. એટલે નારીજી વિદ્યાધરે-વિક્રમાદિત્યે સભામાં સ્ત્રીની હાજરી ન હોવી જોઈએ તેમ જણાવ્યું રાજાએ તે કબૂલ કર્યું.
રાજકુમારીને સખીઓએ આ સમાચાર આપ્યા. તે જાણી પિતે પુરુષ વેશ લઈ સભામાં નૃત્ય જેવા ગઈ. નૃત્ય જોતાં લે ભાન ભૂલ્યા. પછી સ્ત્રીષનું કારણ વિક્રમને રાજાએ પૂછ્યું. એટલે વિક્રમે સુકોમલાને પિતાના છ ભવમાં પુરુષવિરુધ્ધ જે કહ્યું હતું તેનાથી ઉલટું સ્ત્રીવિરુધ કહ્યું. ત્યારે સુકોમલા આ વાતને વિરોધ કરવા લાગી. પણ સુકમલાને હારવું પડ્યું. ને ત્રણે દેવે આકાશ તરફ જવા લાગ્યા. આ જોઈ આશ્ચર્ય પામતી સુકોમલાએ વિદ્યાધર સાથે લગ્ન કરવા મનથી નક્કી કરી પિતાના બાપને મનની વાત કહેતાં કહ્યું, જે વિદ્યાધર સાથે પિતાનાં લગ્ન નહિ કરવામાં આવે તે પોતે આ મહત્યા કરશે.”
મહારાજાએ વિદ્યાધરને બોલાવ્યા–રાજકુમારી સાથે લગ્ન કરવા કહ્યું. તે કહેતાં દેવથી વિપરિત લક્ષણ જોઈ રાજા દ્વિધામાં પડયો. પણ તે વિદ્યાધર-સજ્જન પુરુષ છે માની પિતાની પુત્રી પરણાવવા તૈયાર થયે- આગ્રહ કર્યો ને વિક્રમ-સુકમલા પરણ્યાં.
બીજે સર્ગ સમાપ્ત