________________
તરંગલેલા.
તેના પર બેઠેલા ફીંડલું વાળેલા ક્ષૌમ વસ્ત્ર જેવા. ધવલ અને શરદઋતુ પાસેથી ગુણગણ પામેલા એવા હંસે સરોવરના અટ્ટહાસ સમા દીસતા હતા. (૨૬૧૪ વળી, કેસરલિપ્ત મારા પયોધર જેવી શોભા ધરતા, પ્રકતિથી જ રતાશ પડતા, પ્રિયા સાથે જેમને વિપ્રયાગ નિશ્ચિંત છે (૧) તેવા ચક્રવાક મેં જોયા. (૨૬૨). પદ્મિની પત્રો પર બેઠેલા કેટલાક ચક્રવાક લીલા મણિની ફરસ પર પડેલા કરે ગુનો કુલના પેજ સમા શોભી રહયા હતા. (૨૬૩). ઈષ્ય અને રોષરહિત, સહચરીના સંગમાં અનુરક્ત,.મનરલ જેવા રતૂમડા ચક્રવાક મેં ત્યાં જોયાં (૨૬૪). પેાતાની સહચરીની સંગાથે પદિનીપત્રોની વચ્ચે રમતા ચક્રવાક, મરકતમણિની છો પર દડતા રત્નકલશના જેવી શોભા ધરી રહ્યા હતા. (૨૬૫).
મૂછ
સરોવરના અલંકાર સમા, ગોરોચના જેવી રતાશ ધર ના એ (?) ચક્રવાકામાં મારી દૃષ્ટિ કાંઈક અધિક રમમાણ રહી. (૨૬૬). હે ગૃહસ્વામિની, બાંધવજન સમા એ ચક્રવાકોને ત્યાં જઈને મને મારા પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું, અને શોકથી મૂછિંત થઈ હું ઢળી પડી. (ર૬૭). ભાન પાછું આવતાં, મારું હૃદય અતિશય શેકથી રૂંધાઈ ગયું, અને હું પુષ્કળ આંસુ સારીને મને વેદના પ્રગટ કરવા લાગી. (૨૬૮), હું દાસીને, રડતાં રડતાં કમળપત્રમાં પાણી લાવીને મારા હૃદયપ્રદેશને તથા આંસુને લૂછતી જોઈ રહી. (૨૬૯. પછી હે ગૃહસ્વામિની, હું ત્યાંથી ઊઠીને તાજા, લીલાં પત્ર વાળી પશિનીના ઝુંડ સમા, સરોવરકાંઠેના કદલીમંડપમાં ગઈ. (૨૭૦). ત્યાં નિર્મળ ગગનતા જેવી અત્યંત શ્યામ પથ્થરની પાટ પર હું શેકવિવશતાથી આંસુ વહેવરાવતી બેસી પડી. (૨૭૧) ચેટીની પૃછા
એટલે દાસીએ મને કહ્યું, “હે સ્વામિની, શું તને ખાધેલું બરાબર પચ્યું નથી ? અથવા તે વધુ પડતો થાક લાગે છે ? કે પછી કશુંક તને કરડી ગયું ?” (૨૭૨). મારાં આંસુ લૂછતી તે પોતે પણ મારા પ્રત્યેના સ્નેહથી આંસુ સારવા લાગી; વળી તેણે પૂછયું, “તને શા કારણે આ મૂર્ણ આવી ? (૨૭૩). મને સાચી વાત કહે, જેથી તરત જ ઉપાય કરી શકાય. વિલંબને લીધે તારા શરીરને રખે કશી હાનિ પહોંચે. (૨૭૪). કહ્યું છે કે વ્યાધિની, દુર્જનની મૈત્રીની અને દુ:શીલ સ્ત્રીની ઉપેક્ષા કરનાર પછીથી ભારે દુઃખી થાય છે. (૨૭૫). પ્રમાદ સેવવાથી અનર્થ. આવી પડે ને વિનાશ પણ થાય, માટે હે સુંદરી, બધી બાબતમાં સમયસર પગલાં લેવા એ જ સારું છે. (૨૭૬). એટલે, આવી પડેલા નાના શા દોષ પ્રત્યે પણ પ્રમાદ ન સેવ, નહીં તે એગ્ય વેળાએ જે નખથી છેદાય તેવું હોય, તે પછીથી કુહાડાથી છેદવું પડે તેવું થઈ જાય.' (૨૭૭). આ પ્રકારનાં તેમ જ બીજા
સહિયરને સહજ એવાં પચ્ચે વચને દાસીએ વિનવણી કરતાં કરતાં મને કહ્યાં. (૨૭૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org