________________
તરંગલીલા
૧૫૭
સારસિકાએ આપેલે ઘરને ઝાંત
એટલે સારસિકા બેલી, “તું મારા ઘરેણાં લઈ આવ–એ પ્રમાણે તે મને મોકલી એટલે હું આપણું ઘરે ગઈ. (૧૨૫૧). ઘરના લોકો કામકાજમાં વ્યરત હતા. દ્વાર ખુલ્લું અને ચકી વગરનું હતું એટલે સહેજસાજ ડરતી હું મહાલયની અંદર પહોંચી. (૧૨પર). ત્યાં અંતઃપુરના ઓરડામાંથી બધાં અત્યંત મૂલ્યવાન આભૂષણોથી ભરેલે કરંડિયો લઈને હું પાછી ફરી. (૧૨૩). તન ન જોતાં મેં ત્યાં બધે શોધ કરી, અને પછી વિષાદપૂર્ણ ચિરો હાથમાં રત્નકરંડક સાથે હું ઘરે પાછી ફરી. (૧૨ ૫૪).
હાય મારી સ્વામિની !” એવા વિલાપવચન સાથે અંત:પુરને નિહાળતી, છાતી ફૂટતી હું ભય પર ઢળી પડી. (૧૨૫૫). ભાનમાં આવતાં, એકલી એકલી વિલાપ કરતી હું ત્યાં આ પ્રમાણે મારા મનમાં વિચારવા લાગી (૧૨૫૬), “જે હું જાતે જઈને કન્યાની આ અત્યંત ગુપ્ત વાત નહીં કહું તો મને તે બદલ શિક્ષા થશે. (૧૨ ૫૭). તો મારે વાત જણાવી દેવી જોઈએ. લાંબી રાતને અંતે તે પણ દૂર છટકી ગઈ હશે, અને કહી દેવાથી મારા અપરાધ પણ હળવો થશે.” (૧૨૫૮). મારા મનમાં આવ્યું આવું ચિંતવતાં શયનમાં મેં એ નિદ્રારહિત રાત વિતાવી. (૧૨૫૯). પ્રભાતકાળે મેં શ્રેષ્ઠીના પગમાં પડીને તારા પૂર્વ જન્મના મરણની અને પ્રિયતમ સાથે નાસી ગયાની વાત કરી. (૧૨૬૦).
શેઠનું દુઃખ અને રોષ
એ સાંભળીને અત્યંત કુલાભિમાન ધરતા એવા તેનો મુખચંદ્ર રાહમસ્યા ચંદ્રની જેમ નિસ્તેજ બની ગયે. (૧૨૬૧). ધિક્કાર છે ! ધિક્કાર છે, અરે કેવું ન કરવાનું કર્યું !” એ પ્રમાણે શ્રેષ્ઠી હાથ ધુણાવતો બેલવા લાગ્યો. ‘હાય ! અમારું કુલીન ગોત્ર અપકીર્તિ થી ઘાસની જેમ સળગી જશે. (૧૨ ૬૨). તે પોતે તેને ઘેર ગઈ, એટલે આમાં સાથ વાહનો કશો વાંક નથી. પોતાનો સ્વછંદી હેતુ પાર પાડવા ઉતાવળી થયેલી અમારી દીકરીનો જ વાંક છે. (૧૨૬૩). જેમ જળપ્રવાહના ઘુમરાવાથી નદીઓ પિતાના તટને તોડી પાડે છે, તેમ દુરશીલ સ્ત્રીઓ કુલના અભિમાનને નષ્ટ કરે છે. (૧૨૬૪). સેંકડો દેવા ઊભા કરનારી, ભાદાર કુટુંબને મલિન કરનારી પુત્રી આ જગતમાં જેના કુળમાં ન જન્મ તે જ ખરા ભાગ્યશાળી (૧૨૬૫), કારણ કે પતિત ચારિત્ર્યવાળી પુત્રી સ્વભાવે ભલા અને પરવશ એવા સૌ બાંધને જીવનભર હદયદાહ આપે છે. (૧૨૬૬). કપટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org