Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૬ તરંગલાલા ભદ્રેશ્વરની “ કહાવલી માં આવેલી “તરંગવાઈ કહા ” અહીં પરિશિષ્ટમાં આપેલ છે. કહાવલીમાં પ્રદ્યોત, શિવા, જયેષ્ઠા ને ચેલણની કથા પછી તરંગવતીની કથા એમ કહીને આપેલી છે કે ચેલણાની જેમ તરંગવતીને પણ તેનો પતિ ચેરીછૂપીથી પરણેલો. કથાને અંતે વિધાન છે કે “કૂણિક અને ઉદયનને રાજ્યકાળમાં થયેલી તરંગવતીની રમ્ય અને ભદ્ર કયા, જે ભદ્રશ્વરસૂરિએ રચેલી છે, તે સમાપ્ત થઈ. આ ઉપરથી વાચકને એવું સમજાય કે તરંગવતીની કથાનું વસ્તુ લઈને ભદ્રેશ્વરે સ્વતંત્ર રચના કરી છે, પણ હકીકતે તો આ પાદલિપ્તની ‘તરંગવતી'ને જ સક્ષેપ છે. “રાં તને મુકાબલે “ભ.ત. ચોથા ભાગની (આશરે સાડા ચારસો ગાથા) છે. “સંત.'માં નથી તે કેટલેક કથાના ભાગરૂપ અંશ “ભ.ત.'માં છે. તે જોતાં ભદ્રેશ્વરે “સં.ત.થી સ્વતંત્રપણે સંક્ષેપ કરેલો હોવાનું માની શકાય. વળી કેટલાક પાઠભેદ હોવાથી ભદ્રેશ્વર પાસે જુદી પરંપરાની હસ્તપ્રત હોવાનો સંભવ ખરો. * ભ.ત. મૂળના કયામુત્રને જાળવતો સામાન્ય સંક્ષેપ છે. વન અને વિગતોની સાથે મોટા ભાગનું કાવ્યતત્ત્વ પણ તેમાંથી ચળાઈ ગયું છે. ભદ્રેશ્વરના સમય બાબત મતભેદ છે, પણ તે અગિયારમી શતાબ્દીથી અર્વાચીન નથી જણાતા.૬ 'સંપાદિત પાઠનો આધાર કસ્તુરવિજયજીએ પિતાના સંપાદન માટે જે પાંચ પ્રતે ઉપયોગમાં લીધેલી તેમાંની ત્રણ એક પરંપરાની અને બે બીજી પરંપરાની હોવાનું નિવેદનમાં જણાવેલું છે. પહેલા જૂથની જૂની અને મૂળભૂત પ્રત પાલિતાણાના અંબાલાલ ચુનીલાલ જ્ઞાનભંડારની લેખન સ વત વિનાની (પણ અટકળે અઢારમી શતાબ્દીના) પ્રત છે. બાકીની બે તેના ઉપરથી તૈયાર કરેલી હોવાનો સંભવ ઉપર્યુક્ત નિવેદનમાં વ્યક્ત કર્યો છે. અહીંના પાઠ માટે મેં પાલિતાણાની ઉક્ત પ્રતની ફેટ-નકલને ઉપયોગ કર્યો છે, અને સૂરતના જૈનાનંદ પુસ્તકાલયના ભંડારની પ્રત આ પ્રતની જ નકલ હોવાની ખાતરી કરી છે. બીજા જૂથની પ્રતેમાંથી ડહેલાના ઉપાશ્રયની પ્રત પણ મેં ઉપયોગમાં લીધી છે. પાલિતાણાવાળી પ્રતથી એ જુની જાય છે, તેમ છતાં બંને પ્રતને. પાઠ અત્યંત સમાન છે, અને “ સંત. 'ની ઉપર્યુક્ત સઘળી પ્રતો કોઈ એક જ હસાપ્રત ઉપરથી તૈયાર થયેલી હોવાનું નિશ્ચિત છે. એ મૂળ પ્રતને લહિયો પણ કાચ હોય અને તેણે નકલ બેદરકારીથી તૈયાર કરી હોય (કેટલાક અક્ષરાને સંભ્રમ. કેટલીક ગાથાએ નકલમાં છુટી ગયેલી, વગેરે ). ઉપયોગમાં લીધેલી પ્રતોમાંથી ડહેલાના ઉપ પ્રયવાળી પ્રત વધુ વિશ્વાસપાત્ર છે, અને તેને લહિયે ઘણો અણઘડ હોવા છતાં તેની આધારભૂત પ્રત બારમી શતાબ્દી આસપાસની હોવાનો સંભવ છે કે અહીં તેને જ આધારે પાઠ આપેલો છે. કઈ પાઠાંતરો નથી; જે કઈક સ્થળે પાઠાંતર હોવાનું લાગે છે, ત્યાં પણ તે આધારભૂત પ્રતને લહિયે સરખો વાંચી ન શકયો તેનું, અથવા તો લહિયાની ભૂલનું કે લેખનપ્રસાદનું પરિણામ જણાય છે. " કસ્તૂરવિજયજીએ પાલિતાણાવાળી પ્રતને મુખ્ય આધાર તરીકે રાખી દેવાનું જણાય છે. ડહેલાના ઉપાશ્રય વાળી પ્રત કરતાં એ પ્રતનો લહિયો ઘણે વધુ બેદરકાર અને અણઘડ છે, ૬ ૨૩ઘનમાપુરિલવરિય (સં. અમતલાલ ભેજક, ૧૯૬૫), પ્રસ્તાવના. પૃ. ૪૧. ૭ જુઓ ઉપર દિપણુ ૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324