Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 296
________________ તિરંગલાલા બીજી ટીકામાં તેના નામ નીચે આપેલી ગાથાઓની સંખ્યા વીશેક છે. “ ગાથાકેશ”ના કવિઓની મૂળ નામાવલિ અનેક રીતે ભ્રષ્ટ અને વિછિન્ન રૂપમાં અત્યારે મળે છે, એટલે તેનું પ્રામાણ્ય ઘણું સંદિગ્ધ છે. પાદલિપ્તને નામે આ પેલી ગાંથાએ ખરેખર પાદલિપ્તની હશે કે કેમ તે કહી ન શકાય. છતાં તે પરથી એટલું તો અવશ્ય ફલિત થાય છે કે “ગાથા કેશમાં પાદલિપ્તની ગાથાઓને પણ સ્થાન અપાયું હતું. . “સંતર.'ની ૧૦૨૧મી ગાથા ગાથાકોશમાં પહેલા શતકની ૪૨મી ગાથા તરીકે મળે છે, “સ્વયંભૂ છંદ પૂર્વ ભાગ ૧,૪ નીચે જે ગાથા પાદલિપ્તને નામે આપી છે, તે “ગાથાકાશ'માં પહેલા શતકની ૭૫મી ગાથા તરીકે છે. પણ ભુવનપાલ પ્રમાણે તેના કવિનું નામ વાસુદેવ છે. “ગાથાકોશ'ના કવિઓની નામાવલિમાં ગરબડ થયેલી છે તે જોતાં, આ બાબતમાં વૃત્તિકારો પાસેની માહિતી ભૂલવાળી જણાય છે. અને આ ગાથાની પૂર્વવત ૭મી ગાથાના કવિનું નામ વાઢિયા (ભુવનપાલ) કે વઢિચ (પીતાંબર) આપેલું છે, તેથી એવી અટકળને પૂરતો અવકાશ છે કે પાછળના સમયમાં કવિનામેના ક્રમમાં એક ગાથા આગળપાછળ થઈ ગઈ હોય. , “ગાથાકાશના પહેલા શતકની ચોથી ગાથા (૩મ નિજાળિણં વગેરે) કે જે અલ. કાગ્રંથોમાં ઉદાહરણ તરીકે વારંવાર ઉપયોગમાં લેવાઈ છે તેના કવિનું નામ ભુવનપાલ પ્રમાણે પિટ્ટિસ' છે. પિટ્ટિસ સાતવાહન રાજાને એક મંત્રી હોવાની પંરપરા છે. “સં. તર'.”ની ૨૬૩મી ગાથાનું ઉક્ત ગાથા સાથે નોંધપાત્ર સાદડ્યું છે. આ બધી હકીકતે પરથી જોઈ શકાય છે કે તરંગવતીકાર પાદલિત અને “ગાથાકેશ'ના સાતવાહન વગેરે અન્ય પ્રાકૃત કવિઓ એક સમન સાહિત્ય પરંપરાના હોઈને તેમની વચ્ચે વિષય, નિરૂપણ અને રચનાશૈલી પર ઘણું સામ્ય હતું. ‘તરંગવતીની પ્રાચીન પ્રાકૃત સં. તરં.'ના કેટલાંક વ્યાકરણ રૂપ અને શબ્દપ્રયોગો પ્રાચીન જૈન પ્રાકૃતની કેટલીક લાક્ષણિકતાઓનું સ્મરણ કરાવે છે. આખ્યાતિક રૂપો : (૧) વર્તમાન પહેલા પુરુષ એકવચનનાં – સત્યય વાળાં રૂપે, જેમ કે વસ (ર૬૧, ૧૪૦૦), વાસ (૧૮૯૨), ૐ (૨૫૨, ૨૬૪, (૮૭૬, ૧૨૫૨), સવં (૨૮૮),નીચે (૧૦૧), ૩પેવર (૭૪૮), $ (૩૬, ૮૧૮, ૧૦૧૩, ૧૪૪૨), ૩લ (૩૫૬, ૭૬ ૩), રૂછે (૭૮ ૬, ૧૫૦૭), ર૪ (૧૯૭૩), ' (૧૦૦૨), પાયે (૧૯૯૦), કુળ (૧૧૩૫), સમજુ છે (૧૨૦૦), વાં, (૧૪૯૧); (૨) પહેલા પુરુષ બહુવચનના –મુ પ્રત્યયવાળાં રૂપે : રામુ (૧૯૯૪), પુછામુ (૧૩૧૬), યાહાકુ (૧૦૭૩); (૩) અદ્યતન ભૂતકાળનાં વિવિધ રૂપે –સી, –ાછીય કે-હીય પ્રત્યયવાળાં, જેમકે - ૨. પાંચ ગાથાના જથમાંની આ બીજી ગાથા હાઈ ને “તરંગવતી'માં તે બીજેથી લેવાઈ હોવાને ઓછો સંભવ છે. તે પાદલિપ્તની જ રચના હોય. 3. • કવિદર્પણ : ૨, ૮, ૭ પરની વૃત્તિમાં પણ પાદલિપ્તની એક ગાથા ટાંકી છે. એ ગાથા ભેજના “સરસ્વતીકંઠાભરણુ (૩, ૧૫૩)માં અને અંશત: “સિદ્ધહેમ' (૮, ૧, ૧૮૭, ૮, ૩ ૧૪૨)માં કવિનું નામ આપ્યા વિના ઉદધૃત કરેલી છે. આ ગાથા “સં. તર"માં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324