Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ તા. ૧૬-૨–૧૯૯૦ પ્રહ. કેને માત્ર ગણિતની રમત દેખાય, પરંતુ અનુપ્રેક્ષા દ્વારા જેમને - સક્ષમ અનુભૂતિ થઈ હોય તેમને પ્રત્યેક અક્ષર યથાસ્થાને, યથાર્થ અને પરમ રહસ્યને બંધ કરાવનાર અને સમગ્રપણે મેક્ષમાર્ગના પ્રમાણ માટે પથપ્રદર્શક લાગે છે. હજારો વર્ષથી જે મંત્ર અખંડિતપણે ચાલ્યો આવો હોય એમાં જુદી જુદી પરંપરામાં કઈ કે અક્ષરમાં ફરક પડે છે, પણ તેનું ખાસ મહત્ત્વ નથી. વળી પદની દષ્ટિએ, અર્થ અને ભાવની દષ્ટિએ તેમાં કાજ ફરક પડ્યો નથી. Aવેતામ્બર પરંપરામાં કઈક ફિરકાના કેટલાક લોકોમાં અરિહંતા ને બદલે મરદંતાળું શબ્દ બોલાય છે. [અરિહંતાઈ ને બદલે કારતાળ અથવા મહંતાળ પાઠ પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે.] નમો સ્ત્રોg Rangi ને બદલે નમો કરવાહૂળ એ પાઠ પણ ભગવતી સૂત્રમાં મળે છે. દિગમ્બર પરંપરામાં મારિયાને બદલે મારિયા, નમુના ને બદલે જમવારો અને હવને બદલે ડ્રો પાઠ વધુ બેલાય છે. નવકારમંત્રમાં પ્રથમ પદ નમો ને બદલે જામો પણ વપરાય છે. વેતામ્બરમાં નમો અને દિગમ્બરમાં નમો એકંદરે વધુ પ્રચલિત છે, તેમ છતાં બંને પદ અને સંપ્રદાયમાં વિકલ્પ વપરાય છે. નવકારમંત્રમાં જે નમો પદ છે તેમાં પ્રથમ વ્યંજન દત્ય તરીકે ન બેલાય છે. અને વિકલ્પ મૂર્ધન્ય ” પણ બોલાય છે. સંસ્કૃત ભાષામાં “ન' એટલે પ્રચલિત છે. તેટલો “r” નથી, પરંતુ પ્રાકૃતમાં–અર્ધમાગધીમાં “ન’ કરતાં “” વધુ પ્રચલિત છે. નવકારમંત્ર પ્રાકૃત ભાષામાં હોવાથી નમો ને બદલે ઘણો બેલાયલખાય તે વધુ યોગ્ય છે એમ કેટલાક માને છે. પ્રાકૃતમાં ‘વ’ ને સ્થાને ‘’ ને આદેશ થાય છે. વરરુચિ નામના વૈયાકરણ પ્રમાણે પ્રાકૃતમાં . “ન” ને “ળ” થો જોઇએ. “પ્રાકૃત પ્રકાશ” નામના વ્યાકરણગ્રંથમાં નો | સત્ર નામનું સૂત્ર આપ્યું છે, જે બતાવે છે કે પ્રાકૃતમાં બધે જ ન ને જ થાય છે, પરંતુ હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આ અંગે વાહ સૂત્ર (૮-૧-૨૨૯) આપ્યું છે. તે પ્રમાણે વા એટલે વિકલ્પ અને માટી એટલે આદિમાં અર્થાત શબ્દારંભે રહેલે અસંયુક્ત બે ને થાય છે. પ્રાકૃતમાં લખાયેલા કેટલાક ગ્રંથમાં ન ને વિકલ્પ ન જોવા મળે છે. વળી હસ્તપ્રતોમાં પણ ન અને ન એ બંને અનુનાસિક વ્યંજન વિકલ્પ લખાયેલા જોવા મળે છે. વળી ઓરિસાની ઈસવીસન પૂર્વેની ગુફામાં નમો છેતરાયેલું તથા મથુરાના સ્તુપ ઉપર પણ નમો કોતરાયેલું જોવા મળે છે. આમ અત્યંત પ્રાચીન કાળથી બંને પદે પ્રચલિત રહ્યાં છે. એટલે જ અને જ એ બંને પ્રયોગ શુદ્ધ છે એમ કહી શકાય. માટે જ નમો ને બદલે ગણો હોય અથવા નમુક્કારો ને બદલે નમુનો હોય તે તે બંને સાચાં છે. પરંતુ નમો ને બદલે નમો જ થવું જોઈએ એ આગ્રહ યે નથી. મંત્રશાસ્ત્રની દષ્ટિએ જમો અને નમો એ બંને પદ ગ્ય છે. મંત્ર શાસ્ત્રની દષ્ટિએ અ થી ૭ સુધીના બધા જ અક્ષર મંત્ર સ્વરૂપ છે. માતૃકાક્ષરનાં જે શુભાશુભ ફક્સ મંત્રશાસ્ત્રના ગ્રંથમાં દર્શાવવામાં આવ્યાં છે તેમાં ન ને “સંતોષ આપનાર” તરીકે અને ને “શ્રમ કરાવનાર” તરીકે ઓળખાવાય છે. વળી મંત્રાભિધાનમાં ન નાં ૨૦ નામે આપવામાં આવ્યા છે જેમકે (૧) નિર્ગુણ (૨) રતિ (૩) . જ્ઞાન (૪) જંભન (૫) પક્ષિવાહન (૬) જયા (૭) શંભુ (૮) નરકજિત (૯) નિષ્કલ (૧૦) યોગિની પ્રિય (૧૧) દ્વિમુખ (૧૨) કેવી (૧૩) શ્રોત્ર (૧૪) સમૃદ્ધિ (૧૫) બધિની (૧૬) રાધવ (૧૭) શંખિની (૧૮) વીર (૧૯) નારાયણું (૨૦) નિર્ણય. , - એમાં ન નાં ૩૫ નામ નીચે પ્રમાણે આપવામાં આવ્યાં છે. જેમ કે (૧) ગજિજની (૨) ક્ષમા (૩) સૌરિ (૪) વારુણી (૫) વિધિપાવની (૬) મેષ (૭) સવિતા (૮) નેત્ર (૯) ધંતુર (૧૦) નારદ (૧) અંજન (૧૨) ઉર્વવાસી (૧૩) દ્િરક (૧૪) વામપાદાંગુલિમુખ (૧૫) વૈનતેય (૧૬) સ્તુતિ (૧૭) વર્મા (૧૮) તરણિ (૧૯) વાલ (૨૦) આગળ (૨૧) વામન (૨૨) જવાલિની (૨૩) દીધું (૨૪) નિરીહ (૨૫) સુગતિ (૨૬) વિયત (૨૭) શબ્દામા (૨૮) દીધઘેણુ (૨૯) હસ્તિનાપુર (૩૦) મંચક (૩૧) ગિરિનાયક (૩૨) નીલ (૩૩) શિવ (૩૪) અનાદિ (૩૫) મહામતિ. - આમ ન કરતાં ન નો મહિમા મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધુ બતાવવામાં આવ્યો છે. છંદશાસ્ત્રની દષ્ટિએ જ દગ્ધાક્ષર હોવાથી નિષિદ્ધ મનાયેલો છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ | જ્ઞાનને વાચક છે. માટે તે મંગલમય છે. તેવી રીતે ન પણ જ્ઞાનને વાચક છે અને તે પણ મંગલમય મનાય છે. આમ નવકારમંત્રમાં નમો અને મો બંને પદ વિકલ્પ વપરાય છે. બંને શુદ્ધ અને સાચાં છે. તેમ છતાં ઇમો કરતાં નમો મહિમા વધું મનાય છે. વળી નમો પદ વધુ પ્રચલિત રહ્યું છે. નવમું ૫૬ પઢમં દવ૬ મંા” ને બદલે વઢમં હોદ્દ ભંડારું એ પ્રમાણે પણ બોલાય છે. શ્વેતામ્બરમાં હૃવ અને દિગમ્બરમાં હો વિશેષપણે બેલાય છે. • અર્થની દ્રષ્ટિએ દૃવ અને રોર્ બંને બરાબર છે. અને બંને સાચાં છે. ધ્રુવ અને દો એ બંને પદ વ્યાકરણની દષ્ટિએ વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં વપરાય છે. તેનું મૂળ ધાતુ “ો છે. સંસ્કૃત ભાષામાં મૂ ધાતુ ઉપરથી વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં મવતિ થાય છે. તે પ્રમાણે પ્રાકૃતમાં હૃવદ્ અથવા ફો થાય છે. ' પરંતુ દુદ્દ કરતાં વદ્દ વધુ પ્રચલિત છે, કારણ કે જે દોદ બલવામાં આવે તે ચૂલિકાના ચાર પદના ૩૨ અક્ષર થશે એટલે કે નવકારમંત્રના ૬૭ અક્ષર થશે. હૃવડું બેસવાથી ચૂલિકાના ૩૩ અક્ષર થશે. અને નવકારમંત્રના ૬૮ અક્ષર થશે. ચૂલિકાના ૩૩ અક્ષર [તિતી કલર] છે અને તેમાં નવમા પદમાં દૃવત્ છે એવો સ્પષ્ટ નિર્દેશ મહાનિશીય સૂત્રમાં થયેલો છે તે જુઓ : तहेब इकारसपयपरिच्छिन्नति आलावगतित्तीस अक्खरपरिमाणं एसो पंच नमुक्कारो, सध्वपावप्पणासणो, मंगलाणं चं सव्वेसि पढमै हवह मंगलं तिचूलम् । દિગમ્બર ગ્રંથ મૂલાચારના ષડાવશ્યકાધિકારમાં નીચેની ગાથા આપેલી છે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178