________________
તા. ૧૬-૧૦-૯૦ અને ૧૬-૧૧-૯૦
પરિગ્રહને નાથવા માટે સંતોષવૃત્તિની જરૂરત છે. જૈન આચારદર્શન અનુસાર સમવિભાગ અને સવિતરણ થવાં જોઇએ. એવું ન કરનાર માટે મુકિત નથી, એ પાપી છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
પ્રબુદ્ધ જીવન
બૌદ્ધ ધર્મે પણ આસકિતને બધાં દુ:ખ અને બંધનોનાં મૂળ માનેલ છે. બૌદ્ધ દર્શને ભવતૃષ્ણા, વિભવતૃષ્ણા અને કામતૃષ્ણા એવા ભાગ પાડયા છે. ભવતૃષ્ણા એટલે ટકી રહેવાની વાસના, વિભવતૃષ્ણા એટલે ઝૂંટવાઇ જવાનો ભય, કામતૃષ્ણા એટલે ભોગવવાની ઈચ્છા, જે તૃષ્ણાથી મુક્ત છે તેને ભય નથી, કોઈ શોક નથી. અગ્નિમાં ધી નાખીએ તો અગ્નિ શાંત ન થાય તેમ તૃષ્ણા સંતોષવા વધુ ભેગું કરીએ તો કદી ન શમે પણ વધુ પ્રબળ થાય.
જૈન ધર્મે અંદરથી અનાસકિત અને બહારથી અપરિગ્રહવૃત્તિ બન્ને સાથે માગ્યું છે.
હિંસા વિના જીવન શક્ય નથી, પરંતુ ઓછામાં ઓછી હિંસા થાય એ રીતે જીવવું તે ધર્મમય જીવન છે.
જૈન ધર્મનાં પાંચ મહવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એકમેક સાથે સંકળાયેલાં છે. એક વ્રતનું પાલન કરવા બીજાનું પાલન પણ કરવું જ પડે છે. બીજાનું પાલન કરવા જતાં અન્યનું પાલન આપોઆપ થઇ જાય છે.
સંસારીજનો મહાવ્રતોનું સંપૂર્ણત: પાલન તો ન કરી શકે પણ પાંચ અણુવ્રતોનું પાલન કરે અને સાથેાસાથે ત્રણ વ્રતોનું પાલન કરે તો જીવન ધર્મમય બને છે. આ ગુણવ્રતોમાં દિક્પરિમાણ, ભોગોપભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણની ચર્ચા કરવામાં આવી છે.
આ ત્રણ ગુણવ્રતોનું પાલન કરનાર પોતાની આવશ્યકતા પ્રમાણે વસ્તુઓની મર્યાદા બાંધે છે. વર્ષ દરમ્યાન કે જીવનભર પોતે
૯
વધુમાં વધુ કેટલી મુસાફરી કરશે, કેટલી જમીન રાખશે, કેટલાં મકાન, દરદાગીના, વસ્ત્રો, અનાજ, ધનસંપનિ રાખશે એની પણ મર્યાદા નક્કી કરે છે. આ બધું સંયમપાલન માટે પૂરક છે.
મનુષ્ય સિવાય અન્ય કોઇ પણ જીવો સંગ્રહ કરતા નથી, ખપ કરતાં વધુ રાખતા નથી, કુદરતી સંપત્તિનો બગાડ કરતા નથી. પ્રદૂષણ સર્જતા નથી, હવા, પાણી, જમીન, વૃક્ષો, પર્વતો, આકાશ, સમુદ્ર તળાવ, નદી, જીવસૃષ્ટિ બધાંને સંતાપનાર મનુષ્ય જ છે.
અને બહુમૂલ્ય ધાતુઓ અલિપ્ત ન જ રહી
વિના કારણ મોટર દોડાવનાર પોતાનું પેટ્રોલ તો બગાડે જ છે સાથોસાથ કુદરતી સંપત્તિમાં એટલો ઘટાડો છે. હવાને ધુમાડાના પ્રદૂષણની ભેટ આપે છે અને લોકોને જે મળવું જોઈએ તેમાંથી થોડો ભાગ છિનવી લે છે. વાત નાનકડી લાગે, પણ પરિગ્રહપરિમાણ અને પર્યાવરણની દૃષ્ટિએ મહત્ત્વની હોય છે.
પ્રમાદને કારણે પણ ક્યારેક વસ્તુઓને બગડવા દઇએ છીએ. તેથી જીવહિંસાનું કારણ બને છે. પાણી નળમાંથી વહી રહ્યું હોય અને ઊભા થવાની આળસને કારણે નળ બંધ ન કરીએ તો અહિંસા અને પર્યાવરણરક્ષાના નિયમનો પણ ભંગ કરી રહ્યા છીએ.
આપણે ટકી રહેવું હશે તો પર્યાવરણની સમતુલા જાળવવી પડશે. જરૂરિયાતો ઘટાડી પરિગ્રહને મર્યાદિત કરવાની માંગ ધર્મ અને વિજ્ઞાન બન્નેની છે.
જૈન ધર્મનો પરિગ્રહ પરિમાણનો નિયમ પર્યાવરણ સમતુલાનો આદર્શ નમૂનો છે.
ભમરો જેમ ફૂલોનો રસ ચૂસે છે પણ એ ફૂલોનો વિનાશ નથી કરતો. પોતાની જાત પણ ટકાવે છે અને ફૂલોને ફળવામાં મદદરૂપ થાય છે તેમ સાચવી સાચવીને અન્યનું અહિત કર્યા વગર વર્તવું જોઇએ.
U m
જૈન કાવ્ય-સાહિત્યમાં રત્નો અને આભૂષણો
7 ગણપતલાલ મ. વેરી
પ્રાચીનકાળથી મનુષ્યના જીવન સાથે રત્નો અને આભૂષણો શકે, એટલે જ ભક્તજનોએ અને કવિઓએ અલંકારસંપન્ન કાવ્યો, અનેક રીતે સંકળાયેલાં છે. નાનામોટા વ્યાવહારિક, સામાજિક અને શ્લોકો અને સ્તવનોના માધ્યમથી પરમાત્માને હંમેશાં શ્રદ્ગાસહ ધાર્મિક ક્રિયાઓ, ઉત્સવો અને અવસરોમાં ઝવેરાત અને ઘરેણાંઓનાં બિરદાવ્યા છે. ધારણ અને વર્ણનના સુંદર ઉલ્લેખો જોવા અને વાંચવા મળે છે. કેવળ • દેહના શણગાર અર્થે જ નહીં; પરંતુ માનવસંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં પણ રત્નાભૂષણોનાં મૂલ્ય અને મહત્ત્વ સર્વદા સ્વીકારાયાં છે. સાહિત્યમાં જેમ શબ્દાલંકારોની ગરિમા છે તેમ માનવજીવનમાં રત્નો અને આભૂષણોનું ગૌરવ છે.
સૌ પ્રથમ, જૈન સાહિત્યના અતિ પ્રાચીન અને પવિત્ર ગ્રંથ
ભકિત અને સ્તુતિ દ્રારા માનવી પોતાના આરાધ્યદેવની પૂજા- “કલ્પસૂત્ર માં જેમનો ઉલ્લેખ થયો છે તેવા થોડાક પ્રસંગો લઇએ. અર્ચના કરતો હોય તથા અંતરનાં સ્થૂલ અને સૂક્ષ્મ ભાવોને વાણી દ્રારા મૂર્તિમંત કરતો હોય ત્યારે, એ, રત્નો, ઉપરત્નો તેમ જ આભૂષણોના પ્રભાવ અને પ્રાવલંબનથી
જૈન કાવ્યસાહિત્ય તો પ્રભુ સમર્પિત આવાં રત્નાભૂષણોનાં લાલિત્યમય વર્ણનો અને ઉપમાઓથી અતિ સમૃદ્ધ છે. તેમાંનાં થોડાંક અવતરણો, દૃષ્ટાંતો અને પ્રસંગોને અહીં પ્રસ્તુત કરવાનો આ નમ્ર પ્રયાસ છે.
ચરમતીર્થંકર મહાવીર પ્રભુની માતા ત્રિશાલાદેવીએ જે ૧૪ મહાસ્વપ્નો જોયાં તેમાંના 'હાથી', 'લક્ષ્મી', 'દેવવિમાન' અને 'રત્નારાશિ'