Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 59
________________ તા. ૧૬-૪-૧૯૦ પ્રયુદ્ધ જીવન ૧૩ અને અમદાવાદ તથા દિલ્હી વચ્ચે ચાલતી રેલવે બી. બી. એન્ડ સી. આઇ. (બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા) રેલવે કંપનીની માલિકીની હતી. વસઈના લેખંડના પૂલ ઉપર લેકીને ચાલવાની મનાઈ હતી. એટલે મહારાજશ્રીના વિહાર માટે રેલવેની પરવાનગી લેવી અનિવાય , હતી. એ દિવસમાં આટલી એક પરવાનગી માટે પણ મુંબઈના સંધને બી બી. એડ. સી. આઈ. રેલવે સાથે ઘણા લાંબે પત્ર વ્યવહાર થયો હતે. (જે એક પુસ્તિકારૂપે પ્રગટ થયું હતું.) છેવટે રેલવે કંપનીએ મહારાજશ્રી અને અન્ય સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાને વસઈના પૂલ ઉપરથી પસાર થવાની પરવાનગી આપી હતી, જે એ જમાનાની દષ્ટિએ એક એતિહાસિક ઘટના હતી. મહારાજશ્રીએ મુંબઈ નગરીમાં જયારે પ્રવેશ કર્યો, ત્યારે તેમના સ્વાગત માટે બહુ મોટા પાયા ઉપર તૈયારીઓ થઇ હતી. ઠેર તેર તેમના સામૈયામાં હીરા, મોતી, ચાંદી, ગીની વગેરે સાથે ગહુલીઓ થઈ હતી. એ વખતે જે વડે નીકળ્યો હતો. તે એ સમયે નજરે જોનારા લેકે કહેતા કે આટલો મોટો અને ભવ્ય વરઘેડો તે મુંબઈમાં બ્રિટિશ વાઇસરાઇ રિપનના આગમન વખતે પણ નહેતે નીકળ્યું. આ અભૂતપૂર્વ વરડામાં માત્ર જૈને જ નહિં ભાટિયા, લહાણું વગેરે હિન્દુઓ, વહોરાઓ, બે જાઓ, પારસીઓ અને અંગ્રેજો સુદ્ધાં સામેલ થયા હતા. માટે કંઈક કરે એવી અમારી ભાવના છે.' મહારાજશ્રીએ વિચાર કરીને કહ્યું, “ભલે, હવેથી અહીં માતરમાં પાડાને વધ નહિ થાય. નવરાત્રી ચાલુ થાય તે પહેલાં તમે મને બધી વિગત જણાવજે.” નવરાત્રીના દિવસ આવ્યા. દેવીની આગળ વધ કરવા માટેના પાડાને શણગારીને લોકે ગામમાં ફેરવવા લાગ્યા. હતા. એ પાડે જ્યારે ઉપાશ્રય આગળથી પસાર થયો ત્યારે મહારાજશ્રીએ મંત્ર ભણીને એના મસ્તક ઉપર વાસક્ષેષ્ઠ નાખે. એ પછી થેડી જ વારમાં પાડે ભુર થયે અને તોફાને ચડશે. ચારેબાજુ પાડાએ એવી દડદેડ અને તેડાડ. કરી મૂકી કે લેકે ગભરાયા અને જીવ લઈને નાઠા. દેવી કાંપે ભરાયાં છે એવી લેકેને બીક લાગી. કેટલાક હિન્દુઓ પણ મહારાજ સાહેબ પાસે આવ્યા અને પાડે શાંત થાય એ માટે વિનંતી કરી. મહારાજ સાહેબે એ લોકોને ઉપદેશ આપતાં કહ્યું, ‘એ ભાઇઓ, માતાજી આવા મોટા જીવના. બલિદાનથી પ્રસન્ન ન થાય માતાજી તે આપણું હૃદયની સાચી ભાવના અને ભકિતથી પ્રસન્ન થાય. તમે સંકલ્પ કરે. કે હવેથી કયારેય પાડાને વધ નહિ કરીએ, તે આ પાડે. તરત શાંત થઈ જશે.' લે કે તે પ્રમાણે સંકલ્પ કર્યો અને પાડે તરત શાંત થઈ ગયો. એક વખત મહારાજશ્રી જયારે સૂરતમાં બિરાજમાન હતા ત્યારે એમના વ્યાખ્યાનમાં પાસેના ગામમાંથી આવતા. કોઈ એક ભાઈને વૈરાગ્યને રંગ લાગ્યો હતો. તેમણે દીક્ષા લેવાની પિતાની ભાવના મહારાજશ્રી પાસે વ્યકત કરી. ત્યારે પછી એક દિવસ એ ભાઈએ આવીને મહારાજશ્રી પાસે દીક્ષાનો દિવસ એને મુક્ત પણ કાઢી આપવા માટે આગ્રહભરી વિનંતી કરી. મહારાજશ્રીએ એ ભાઈને વૈશાખ સુદી: છઠ્ઠના દિવસનું મુર્હત કાઢી આપ્યું. એ ભાઈના ગયા પછી. મહારાજશ્રી એકદમ મૌન થઈ ગયા. વિચારે ચઢી ગયા. પાસે બેલા પદ્વમુનિએ પૂછ્યું, ગુરુ મહારાજ આપ કંઈ. ઊંડા વિચારમાં પડી ગયા લાગો છે.” મહારાજશ્રીએ કહ્યું “હા. વાત સાચી છે. કર્મની ગતિ કેવી વિચિત્ર છે તેના વિચારે હું ચડી ગયે હતિ. આ ભાઇને દીક્ષા લેવી છે. એમની. ભાવના કેટલી વિશુદ્ધ અને ઉચ્ચ છે ! પરંતુ એમના ભાગ્યમાં દીક્ષાને વેગ નથી, કારણ કે એમનું આયુષ્ય હવે પૂર્ણ થવામાં છે.” ** : મુંબઈમાં લાલબાગના ઉપાશ્રયમાં એમનાં વ્યાખ્યાને ચાલુ થયાં અને એમાં લોકોની ભીડ દિવસે દિવસે એટલી બધી વધી ગઈ હતી કે બાબુ બુદ્ધિસિંહજીએ રૂપિયા સેળ હજાર ખચી તાબડતોબ એ હેલમેટો કરાવ્યો હતે. મહારાજશ્રી જયારે મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે અષાઢ મહિને પૂરો થવા આવ્યો છતાં ચોમાસુ બેસવાના કેઇ એંધાણુ જણાતાં ન હતાં. લેકાને દુકાળ પડશે એવી ચિંતા થવા લાગી. એ વખતે મુંબઇના મહાજનના કેટલાક આગેવાન શ્રેષ્ઠીઓએ મહારાજશ્રી પાસે આવીને પોતાની ચિંતા વ્યકત કરી અને આશીર્વાદ આપવા કહ્યું. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, “વરસાદ જરૂર પડશે, પરંતુ એ માટે તમે થયાત્રાને વરઘડે કાઢ.” મહારાજશ્રીનું વચન એટલે આજ્ઞા બરાબર. તરત નજીકના દિવસ-તિથિ નકકી થયાં અને જિનબિંબ સાથે રથયાત્રા નીકળી. આ રથયાત્રા અડધે પહોંચી ત્યાં તે ધોધમાર વરસાદ તૂટી પડ હતો. લેકે આશ્રય મુગ્ધ થઈ ગયા. મહારાજશ્રીની લબ્ધિસિદ્ધિને ત્યારે લોકોને ખ્યાલ આવ્યો હતે. મુંબઈનાં ચાતુર્માસ પછી મહારાજશ્રી ફરી ગુજરાત તરફ વિચર્યા હતા. મેહનલાલજી મહારાજ સ્વરોદયશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, જોતિષશાસ્ત્ર વગેરે વિદ્યાના પ્રખર જાંગુકાર હતા. વળી તેઓ વચનસિદ્ધ મહાત્મા તરીકે ખ્યાતિ પામ્યા હતા. મહારાજશ્રી ખેડા જિલ્લાના માતર તીર્થમાં જનારે બિરાજમાન હતા ત્યારે જૈનસંઘના આગેવાનોએ આવીને એમને વાત કરી કે “અહીં થોડા દિવસમાં નવરાત્રી ચાલુ થશે. એ દિવસમાં દેવીના મંદિરમાં પાડાને વધ થાય છે. આપ એના થોડા દિવસ પછી ખબર આવ્યા કે એ દીક્ષાથી ભાઈ. અચાનક ગંભીર માંદગીમાં પટકાઈ પડયા છે. ત્યારપછી બરાબર વૈશાખ સુદ છઠ્ઠના દિવસે જ તેઓ અવસાન પામ્યા એક વખત મહારાજશ્રી સૂરતમાં બિરાજમાન હતા ત્યારે શેઠ નગીનચંદ્ર કપૂરચંદ દેરાસરમાં પૂજા કરીને મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા. વંદન કરીને કહ્યું, “સાહેબ હું; આજે મુંબઈ જવાને છું. ત્યાંનું કંઈ કામકાજ હોય તે ફરમાવે.’ આસપાસ જોઈ, ડીવાર વિચાર કરી મહારાજશ્રીએ કહ્યું “નગીનચંદ ! તમારે મુંબઈ જવું હોય તે ભલે જાવ, પરંતુ ઘરે ગયા વગર અહીંથી જે સીધા સ્ટેશને જ મુંબઈની ગાડી પકડજે.” નગીનચંદ શેઠ વિચારમાં પડી ગયા, પરંતુ મહારાજશ્રીની

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178