Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 91
________________ તા. ૧૬-૬-૧૯૯૦ અને પરનુ કલ્યાણ સધાય છે. મુનિશ્રી શાંતિવિજયજીએ પોતાના ગુરુ મહારાજ પાસે ૐકાર મંત્ર વિધિપૂર્ણાંક ગ્રહણ કર્યાં. ત્યાર પછી તે જગલમાં અને ગુફાઓમાં એકાંત સ્થળે ખેસી તેની સાધના કરવા લાગ્યા. શ્રી શાંતિવિજયજી મહારાજની મંત્ર સાધના કેટલી પ્રબળ હતી તેના પ્રત્યક્ષ અનુભવ થાડા વખતમાં જ કેટલાક લેાકાને થયેા હતા મહારાજશ્રી જ્યારે રામસીણુ ગામમાં પધાર્યા હતા ત્યારે ત્યાં રહેતા એક શ્રેષ્ઠી લેપાળ ડાહ્યાજીએ તેમને વિનતી કરી કે 'ગુરુમહારાજ મે આ ગામમાં એક સુંદર મકાન અંધાવ્યું છે. પરંતુ એ ઘરમાં રહેવા ગયા પછી અમને ઘણી ઉપાધિ આવી છે. એથી અમે બીજે રહેવા ચાલ્યા ગયા છીએ. એ ભૂતિયા ધરમાં રહેતાં હવે અમને બધાંને બહુ ખીક લાગે છે. આપ એકાંતમાં મોંત્રસાધના કરા છે અને આપને તેા કા ડર હાતા નથી. તે મારી આપને વિનતી છે કે મારા ખાલી પડેલા ઘરમાં રહેા અને મંત્ર સાધના કરીશ. આપના પુણ્યપ્રતાપે અમારે ભય ચાલ્યા જશે' શ્રી શાંતિવિજયજી મહારાજ એ ભૂતિયા ધરમાં ત્રણ દિવસ એકાંતમાં રહ્યા. ત્યાં ૐ કાર મંત્રનું સતત રટણ કર્યુ. ત્રણ દિવસ પછી એ ધરમાં પ્રવેશતાં જાણે કાઇ, પ્રસન્ન વાતારણ હાય તેવું લાપાજીને લાગ્યું. બીજા લેાકાએ પણુ એ પ્રમાણે અનુભવ્યું. ત્યાર પછી લાપાજીનુ કુટુાએ ઘરમાં પાછુ રહેવા ગયું. એ કુટુ ંબમાં દિવસે દિવસે સુખની વૃદ્ધિને અનુભવ થવા લાગ્યા. ભયનુ નામ નિશાન ન રહ્યું. તેઓશ્રી શાંતિવિજયજી મહારાજને એ માટે વારવાર ઉપકાર માનવા લાગ્યા. હતા. મહારાજશ્રી રાજસ્થાનમાં વિહાર કરી રહ્યા તેમની ભાવના હવે અજારી ગામમાં જાતે ત્યાં પાસે આવેલા સરસ્વતી મંદિરમાં રહીને માતા સરસ્વતી દેવીની આરાધના કરવાની હતી. અજારી ગામ કુમારપાળ મહારાજાએ બંધાવેલા બાવન દેવકુલિકાવાળા જિનમ ંદિરને લીધે પ્રખ્યાત છે. એ ભૂમિ જ પ્રાચીન સમયથી પવિત્ર મનાતી આવી છે. ગામથી થાડેક દૂર માઇન્ડ ઋષિના આશ્રમ છે. તેની પાસે સરસ્વતીદેવીનું મ ંદિર છે. ડુંગરાની વચ્ચે જંગલમાં આવેલુ આ પ્રાચીન મંદિર સરસ્વતી માતાના મૂળ સ્થાનક તરીકે સુપ્રસિદ્ધ રહ્યું છે. પૂર્વેના સમયમાં કવિ કાલિદાસ સિદ્ધસેન દિવાકર, અભયદેવસૂરિ, કલિકાલ સર્વ'જ્ઞ હેમચંદ્રાચાય', પ્પભટ્ટી સૂરિ, રાજા ભોજ. વગેરે સુપ્રસિદ્ધિ સરસ્વતેાએ આ સ્થળે સરવતી માતાની ઉપાસના કરીને તેમને કૃપાપ્રસાદ મેળવ્યાનુ ઇતિહાસ કહે છે. શાંતિવિજયજી મહારાજે પણ આ સ્થળે ધૃષ્ણા દિવસ સુધી રહીને સરસ્વતી દેવીની આરાધના કરી. સરસ્વતીદેવીને જાણે સાક્ષાત્કાર થયેા હાય તેમ તે કાઇ કાઇ વખત તેની સાથે વાતેા કરતા હતા એવું નજરે જોનારા આસપાસના લેાકા કહેતા. સરસ્વતી માતાએ પ્રસન્ન થઇને તેમને વરદાન આપ્યું હતુ. એવી દૃઢ માન્યતા લેાકાની ય ગઇ હતી. સરસ્વતી દેવીની આરાધના કરી મહારાજશ્રી અજારીથી નીકળી એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. ગુરુ પ્રબુદ્ધ જીવન 13 ૧૩ મહારાજ શ્રી તીથ'વિજયજીના વિહાર પણ એક ગામથી ખીજે ગામ જુદા ચાલતા હતા તી'વિજયજી મહારાજ માંડેલી પહોંચ્યા ત્યારે તેમને એવી ભાવના થ કુ પેાતાના શિષ્ય શ્રી શાંતિવિજયજી પણ માંડાલી પધારે તે સારુ માંડેલી એ શ્રી ધર્મવિજયજી મહારાજની · સ્વગ'વાસની ભૂમિ છે. શ્રી ધમ'વિજયજી એટલે શ્રી તીવિજયના ગુરુ મહારાજ અને શ્રી શાંતિવિજ્યજના દાદા-ગુરુ. એટલે તી વિજયજી મહારાજ આ પવિત્રભૂમિમાં વાર વાર પધારતા. પેાતે ત્યાં પહોંચ્યા પછી. માંડલી આવવા માટે શ્રી શાંતિવિજયજીતે એમણે પત્ર મોકલ્યા. શ્રી શાંતિવિજયજીને પણ પોતાના ગુરુ મહારાજને મળવાની ખુચ્છા થઇ હતી પત્ર મળતાં તેમણે માંડેલી તરફ વિહાર ચાલુ કર્યો. વિહાર કરતાં કરતાં શ્રી શાંતિવિજયજી મહારાજશ્રી ફાણી નામના ગામમાં આવી પહેાંચ્યા. ફ઼દાણીમાં જૈનેના ત્રીસેક જેટલાં ધર હતાં, પર ંતુ જિન મંદિર નહોતુ. ગામમાં મહારાજશ્રીની પધરામણી થતાં લેકા ધણા ઉત્સાહમાં આવી ગયા હતા. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં ઘણી સારી હાજરી રહેવા લાગી. આવા નાના ગામને સ'તવાણી સાંભળવાને અવસર વાર વાર સાંપડતા નથી. લેકાના ઉસાહને જોઇને મહારાજશ્રીએ ભલામણુ કરી ગામમાં એક નાનું સરખું જિનમંદિર તેા હોવું જ માટે જોઇએ. સકે તે તરત ઠરાવ કર્યા અને એને ઝડપી અમલ કરવાનું નકકી કર્યુ. પાસેના એક ગામમાંથી પ્રતિમા ભાવવાનું પણ ગોઠવાઈ ગયું. પ્રતિમાજીના પ્રવેશના અને પ્રતિષ્ઠાતા સિપ નક્કી થઈ ગયે મહારાજશ્રીએ આ ઉત્સાહ જોઇને એટલા વધુ દિવસ ત્યાં રાકાવાની અનુમતિ આપી. ગામ નાનું હતું અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠાના અવસર પણ નાના હતા. એટલે બહારગામથી સેએક જેટલા માડ્સે આવશે એવુ સધેધાયુ હતુ. તે 1 પ્રમાણે ભેજનાદિની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ પ્રતિષ્ઠાને દિવસે ધાર્યાં કરતાં ઘણા વધુ માણસ આવી પહેોંચ્યા. આથી સધના માણસે મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓ મહારાજશ્રી પાસે આવ્યા. મહારાજશ્રી તરત પોતાનાં પાત્રાં લતે ગાયરી' વહારવા માટે ભોજનશાળામાં આવી પહોંચ્યા. તેમણે બધી રસે ઉપર ઘેાડીવાર સુધી દષ્ટિ કર્યાં કરી. ત્યાર પછી લાપશી અને બીજી વાનગીઓ પેાતાના ખપ પૂરતી વહેારીને તેમણે સધના આગેવાને કહ્યુ, "અરે નએ છે શું ? આટલી રસેઈ તે સ્વામીવા સભ્ય પછી પણ વધી પડે તેમ છે. તેમાંથી તમે ગામના બીજા જૈનેતર લેાકાતે પણ જમાડજો', રસેષ્ઠ ઉપર મહારાજશ્રીની અમી દૃષ્ટિ પડયા પછી તેમના વચન અનુકાર્ રસેષ્ટ ખૂટી નહિં અને ગામના બીજા લેકને પણ તેમાંથી પ્રસાદ આપવામાં આવ્યા. આ ઘટનાની વાત ચારે બાજુ એટલી બધી પ્રસરી ગઈ હું આસપાકના ગામેમાંથી મહારાજશ્રીનાં દર્શન કરવા માટે અનેક લેાકા આવી પહેાંચ્યા. મહ્રાજશ્રીની પધરામણી પછી અને જિનમંદિરના નિર્માણુ પછી, કુંદાણી ગામની જાહેાજલાલી દિવસે દિવસે વધતી ચાલી મહારાજશ્રીએ જ્યારે ફેધણી ગામથી વિહાર કર્યાં ત્યારે ગામના બધા જ માણુસે અને આસપાસનાં ગામોના કેટલાય

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178