Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 120
________________ તરંગવતી : ૧૨૫ : ને છેવટે–ના છૂટકે–રજા આપી. પણ પછી મહેલમાંથી બહાર નિકળતાં મને તો જાણે આકાશ પાતાળ એક થઈ ગયાં. ખરેખર (તારા પિતાને) નગરશેઠનો મહેલ બાદ કરતાં (આખા રાજમાર્ગ ઉપર) એ બીજો એકે મહેલ નથી. હજી યે એ ભવ્યતા, એ શેભા, એ આદરમાન મારી આંખે આગળ તરી આવે છે અને તારા પ્રિયની અતુલ સુંદરતા પણ જળકી આવે છે. હવે એણે લખી આપેલો ઉત્તર તને આપું, એમાં એણે સ્નેહ અને આશાઓની ધારાઓ પ્રગટાવી છે.” (તરંગવતી હવે સાથ્વીરૂપે પિતાની કથા આગળ ચલાવે છે.) “જે પત્રરૂપે મારા પ્રિય મારી પાસે આવ્યા હતા, તે પત્ર મેં લીધો. ને તેની ઉપરની મહોરને ઊંડે શ્વાસે ચુંબન કર્યું. હજી તે મારી આંખે એ મહોર ઉપર હતી અને કાનમાં મારી સખીના શબ્દો ઉતરતા હતા, તેવામાં જ ચંપાની પાંખડીઓ ઉઘડતાં જેમ અંદરની તંતગણ બહાર નિકળી આવે એમ મારા હૃદયમાં આનંદને કુવારે છૂટ્યો. તરત જ મેં મહેર તેડી અને વાંચવાને આતુર થઈ કાગળ ફેડ્યો. મારા પિતાના મૃત્યુ સિવાયની બીજી બધી અમારા પાછલા ભવની કથાનું એમણે સંપૂર્ણ અને ચમત્કારિક વર્ણન કર્યું હતું. જ્યાં સુધી અમે સાથે હતાં ત્યાં સુધીનું બરાબર ચેક્કસ વર્ણન હતું અને મારા મરણની કથા તો એ જાણતા ન હતા. આનંદથી ઉછળતે હદયે એમણે મેકલેલે એ પત્ર મેં વાંચવા માંડ્યો. જે લાગણી મને થઈ હતી એ એમને પણ થઈ હતી અને તે એમણે સુંદર શબ્દોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202