Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 181
________________ : ૧૮૨ : તરંગવતી પડ્યો, પણ નગરમાં આ વાતની જાણ થઈ ગઈ અને હરામખેરના . જીવ હવે સલામત નહાતા એમ જોઈને હું' ખારીકવનમાં નાશી ગયા. વિધ્યાચળની વિભૂતિ સમાન એ વનમાં અનેક જાતના શિકાર મળી .કે એમ હતા, ૫ખીએનાં પુષ્કળ માળા હતા તથા લૂટારાઓની પુષ્કળ ગુફાએ હતી. વિવિધ પ્રકારનાં ઝાડાની ઘટા સૌને અંધારામાં ઢાંકી દેતી. વિધ્યાચળની અંદરની બાજુએ આવેલી આવી એક ગુફામાં હું આવી પહાંચ્યા એને એક જ બારણું હતું અને એ શુકાનું નામ સિંહગુફા હતું. ત્યાં હથિયારબ`ધ મજબૂત માણસા રહેતાં ને વેપારીઓને તે વણજારાને લૂંટી આનંદ કરતા. એ એમના ધંધામાં અને બીજી એવી અનેક કળાએમાં તથા હળીમળીને કામ કરવામાં ખૂબ પ્રવીણ હતા. છતાંયે એમાં કેટલાક એવા પણ હતા કે જેએ બ્રાહ્મણશ્રમણને, સ્ત્રીમાળકને અને ઘરડાં માંદાને સતાવતાં નહિ. લૂટતાં હજારા વાર ઘા પણ ખાતા, છતાં ચે એકંદર રીતે એમના ધંધા સારી રીતે ચાલ્યા જતા. આ લૂટારાઓમાં હું પણ એક લૂંટારા તરીકે દાખલ થઇ ગયા. ભલ્લપ્રિય નામે એક જણ એ મડળના નાયક હતા, એ હંમેશાં પેાતાના મજબૂત હાથમાં ભાલા ઝાલી રાખતા, લે કરવામાં સાહસી હતા અને સર્પની પેઠે સને ભયંકર હતા. પેાતાના હજારા લૂંટારાને પેાષવાને અને પિતાની પ્રમાણે તેમનું રક્ષણ કરવાને એ અજાણ્યા ધનવાનને ખૂબ સતાવતા. પેાતાના બાહુબળને કારણે એ ઘણા પ્રખ્યાત થયા હતા અને તેથી લૂટારાઓમાં નાયક તરીકે બહુ માન પામ્યા હતા, એની પાસે મને લઇ જવામાં આવ્યા . ז - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202