Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 183
________________ * ૧૮૮ છે. તરંગવતી બેને કાળીને ભેગ આપવાને છે. પછી મને એમની ચકી કરવા રાખે, અને મરણચિંતાને લીધે એ બે જણ આંસુભરી આંખેએ બાવરાં જેવા થઈ ગયાં ત્યારે હું એમને મારા ઘરમાં લઈ ગયે. એ પુરુષને મેં તાણી બાંધ્યો તેથી તે સ્ત્રી પોતાના સ્વામી ઉપરના સ્નેહને લીધે ભયંકર વિલાપ કરવા લાગી ને છાતી ફાટ ચીસો પાડવા લાગી. એથી બીજી કેદ પકડાયેલી ને જીવનથી નિરાશ થઈ ગયેલી સ્ત્રીઓ ત્યાં ટોળે મળી ગઈ ને દયાભાવે ને આકાંક્ષાએ એમને પૂછવા લાગીઃ કયાંથી આવે છે ને ક્યાં જતાં હતાં ? લૂંટારાના હાથમાં કેવી રીતે આવી પડ્યાં? આંસુભરી આંખે ડુસકાં ખાતાં એણે ઉત્તર આપે : “અમે અહીં શી રીતે આવ્યાં એનું દુઃખભર્યું વર્ણન પહેલેથી સાંભળો. સુંદર ચંપાનગરવાળા વનમાં ગંગાને કાંઠે અમે ગેરૂઆ રંગનાં ચક્રવાક પંખી હતાં. આ મારા સ્વામી તે વારે મારા ચક્રવાક હતા અને હું એમની પ્રિય નારી હતી. અમે ગંગા ઉપર કુશળતાએ તરતાં અને મેજના રેતીકિનારા પેઠે શણગારરૂપ હતાં. એક વાર એક પારધિ ધનુષબાણ લઈને આવ્યું અને એણે એ જંગલી હાથીને મારવા જતાં એમને મારી નાખ્યા (આ અપકૃત્યને કારણે) ખેદ કરતાં કરતાં એણે એમના મૃતદેહને અગ્નિદાહ દેવા માટે કિનારા ઉપર અનિ સળગાવ્યે. સ્વામીની પાછળ જવા માટે મેં પોતે પણ એ અનિમાં પડતું મેયું. એમ મરી ગયા પછી જમ્મુ-નાને કિનારે આવેલા સુંદર કીશાબી નગરીમાં નગર શેઠને ઘેર હું તે કન્યારૂપે અવતરી, અને તે જ નગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202