SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૮૮ છે. તરંગવતી બેને કાળીને ભેગ આપવાને છે. પછી મને એમની ચકી કરવા રાખે, અને મરણચિંતાને લીધે એ બે જણ આંસુભરી આંખેએ બાવરાં જેવા થઈ ગયાં ત્યારે હું એમને મારા ઘરમાં લઈ ગયે. એ પુરુષને મેં તાણી બાંધ્યો તેથી તે સ્ત્રી પોતાના સ્વામી ઉપરના સ્નેહને લીધે ભયંકર વિલાપ કરવા લાગી ને છાતી ફાટ ચીસો પાડવા લાગી. એથી બીજી કેદ પકડાયેલી ને જીવનથી નિરાશ થઈ ગયેલી સ્ત્રીઓ ત્યાં ટોળે મળી ગઈ ને દયાભાવે ને આકાંક્ષાએ એમને પૂછવા લાગીઃ કયાંથી આવે છે ને ક્યાં જતાં હતાં ? લૂંટારાના હાથમાં કેવી રીતે આવી પડ્યાં? આંસુભરી આંખે ડુસકાં ખાતાં એણે ઉત્તર આપે : “અમે અહીં શી રીતે આવ્યાં એનું દુઃખભર્યું વર્ણન પહેલેથી સાંભળો. સુંદર ચંપાનગરવાળા વનમાં ગંગાને કાંઠે અમે ગેરૂઆ રંગનાં ચક્રવાક પંખી હતાં. આ મારા સ્વામી તે વારે મારા ચક્રવાક હતા અને હું એમની પ્રિય નારી હતી. અમે ગંગા ઉપર કુશળતાએ તરતાં અને મેજના રેતીકિનારા પેઠે શણગારરૂપ હતાં. એક વાર એક પારધિ ધનુષબાણ લઈને આવ્યું અને એણે એ જંગલી હાથીને મારવા જતાં એમને મારી નાખ્યા (આ અપકૃત્યને કારણે) ખેદ કરતાં કરતાં એણે એમના મૃતદેહને અગ્નિદાહ દેવા માટે કિનારા ઉપર અનિ સળગાવ્યે. સ્વામીની પાછળ જવા માટે મેં પોતે પણ એ અનિમાં પડતું મેયું. એમ મરી ગયા પછી જમ્મુ-નાને કિનારે આવેલા સુંદર કીશાબી નગરીમાં નગર શેઠને ઘેર હું તે કન્યારૂપે અવતરી, અને તે જ નગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy