Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 162
________________ તર ગવતી લાએ અને કમળદડા આપ્યા ને ત્યારપછી હું મારા સ્વામીની સ`ગે બારણામાં પેઠી. હું ભૂલથી જરાક પાછળ પડી ગઇ ને ઉતાવળે ચાલીને પાછી સાથે થઈ ગઈ અને અમે મારા સસરાના મહેલના, લેાકની ભીડવાળા સુદર અને વિશાળ ચેાકમાં આવ્યાં. મારા પિતા (નગરશેઠ) પેાતાના કુટુ બને લઈને ખીજા વેપારીઓ સાથે આગળથી જ આવીને સાંગામાંચી ઉપર બેઠા હતા. ક ંઈક સકાચથી અમે સૌને ચરણે માથું મૂક્યું અને એમણે સ્નેહાળ દેવેની પેઠે અમારા ઉપર દૃષ્ટિ કરી. એમણે અમને આલિંગન આપ્યા, કપાળ ઉપર ચુંબન કર્યાં, એમની આંખમાં હર્ષોંનાં આંસુ આવ્યા ને કયાંય સુધી અમારી સામે જોઇ રહ્યા. મારી માતા અને સાસુએ પણ અમને હૈયાના ઉમળકાથી આલિંગન આપ્યાં અને રઇ પડયાં— એમની આંખમાંથી આંસુ નિકળી પડયા અને સ્તનમાંથી ધાવણુ નીકળી પડયું. પછી મારા (આઠ) ભાઈએને ક્રમશઃ પગે લાગી અને ભક્તિભાવે મારું મસ્તક કમળ એમની આગળ નમાવતી ચાલી ત્યારે એમની આંખમાં પણ આંસુ તરી આવ્યાં. વળી જે સૌને હું સ્નેહથી સ ભારતી તે સૌ આવી મળ્યાં. મારી દાસીએ અને સખીઓએ પ્રથમ પેાતાનાં આંસુ રોકી રાખ્યાં હતાં, તેમણે પણ અત્યારે છુટથી વહેતાં મૂકી દીધાં. એમનું દુઃખ શમે એવું નહાતુ. ઝાકળના મેાતી જેના ઉપર પડયાં છે એવી ફૂલરેખા જેવી એ દેખાતી. નગરશેઠની અને વેપારી એની સૂચનાથી પછી એક ઘડા આણ્યે. અમને અમારા આસને બેસાડ્યા પછી સૌ સબધીજને એ અમારા આજ : ૧૬૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202