Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 17
________________ લલિત- વિરા - હરિભદ્રસૂરિ રચિત જ (A-૧૨ સુદેવ નથી એમ વિવેકનયનદાયક વિશેષણોની સફલતા દર્શક પ્રયાસ, યુક્તિયુક્ત છે માટે જ પરમોપયોગી ચૈત્યવંદન સૂત્રોનું વ્યાખ્યાન, શ્રી પરમોપકારી હરિભદ્રસૂરીશ્વરે કરેલ છે. પ્રસ્તુત વિવરણની અતિ પ્રાચીનતા : આ ગ્રન્થ, તમામ વૃત્તિઓ કરતાં પ્રથમ-મૌલિક છે કેમ કે; હાલ વીસ(૨૦)થી અધિક પ્રાપ્ત થતા ચૈત્યવંદન સૂત્રના વિવરણો, આ હારિભદ્રીય વિવરણ કરતાં પ્રાચીન નથી. વળી શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના સમયે કોઈપણ ચૈિત્યવંદન સૂત્રીય વિવરણ, પ્રસિદ્ધ ન હતું કારણ કે તેઓશ્રીએ કહ્યું છે કે “યાવત્તથાપિ વિજ્ઞાતમર્થજાત મયા ગુરોઃ તારદેવ નિગમતઃ (શ્લોક ૩.) જો તે વખતે પ્રાચીન વિવરણ હોત તો જેમ “યદાપિ મયા તથાડત્યે કૃતાઢસ્ય વિવૃતિઃ' ઈતિ આવશ્યકની વ્યાખ્યાના અવસરે અન્યકતકૃતિની સ્મૃતિ કરી તેમ અહીં પણ પ્રાચીન વિવરણ વિદ્યમાન હોત તો અવશ્ય તેનો અંગુલીનિર્દેશ કરતે જ અને “ગુરૂથી અધિગત માત્ર અર્થના વિવરણ'રૂપ પ્રસ્તુત કૃતિની પ્રતિજ્ઞા નહીં કરતે. એવંચ ચૈત્યવંદનનો વિધિ અને તેનું વિવરણ, શ્રીમાનું હરિભદ્રસૂરિએ જ પ્રથમતઃ પ્રસિદ્ધ કરેલ છે. કેમકે; શ્રીમતથી પ્રાચીન સૂત્ર નિયુક્તિ ભાષ્યચૂર્ણિ વૃત્તિ વિ. બીજે સ્થળે ચે. વિધિ કે તેનું વિવરણ દેખાતું નથી અને ચૈત્યવંદન ભાષ્યકાર શ્રી દેવેન્દ્રસૂરિજી આદિ આચાર્યોએ પણ જાહેર કર્યું છે કે “લલિતવિસ્તરાથી નવ(૯)અધિકારો ગ્રહણ કરેલ છે. શ્રીકુલમંડનસૂરિએ વિચારમૃતસારસંગ્રહમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “શ્રીમતના પ્રામાણ્યથી જ ચૈ.વ. વિધિનું પ્રમાણપણું છે અને શ્રીમાન્ ‘પૂર્વદર આસન્ન કાલવર્તી” હતા. પ્રસ્તુત વિવરણ રચનાનો હેતુ : ' શ્રીમતના સત્તા સમયે કેટલાક સ્વસંપ્રદાયવર્તી એવા હતા કે જેઓ ચૈ. વં. સૂત્રને અવિવૃત મંત્રની માફક તેના સ્મરણ માત્રથી અનિષ્ટના ધ્વંસપૂર્વક ઈષ્ટ પ્રાપ્તિના કારણભૂત તરીકે માનતા હતા. તેઓના માટે જ ભગવાને “તસંપાદનાર્થેમેવચ નો વ્યાખ્યારંભ પ્રયાસઃ' એમ કહીને વિવરણ બોધપૂર્વક કરાતી ક્રિયાને “સમ્યક્રક્રિયા' તરીકે જણાવી અને વ્યાખ્યાનના પ્રાંત ભાગે “શુષ્કક્યુચવર્ણપ્રાયમવિજ્ઞાતાર્થમધ્યયનમ્અર્થાત્ અર્થના શ્રદ્ધાયુક્ત જ્ઞાત વગરનો પાઠ, સુકાયેલ શેરડીના ચાવવા બરોબર છે. આમ પણ ચોખેચોખું દર્શાવ્યું. વળી ચે. વ. ક્રિયાને અને વિવરણરૂપ ક્રિયાને સફલતા સંપાદક સમ્યફ ક્રિયા તરીકે પ્રાયોડધિકૃતસૂત્રોફતેનૈવ' ઈત્યાદિથી, અને તેના અધિકારી લક્ષણો “એતદ્ધહુમાનિનઃ' ઈત્યાદિથી, તેના લક્ષણોના લિંગો “તત્કથાપ્રીતિઃ' ઈત્યાદિ શ્રીમાન્ ભગવાને દર્શાવ્યા. શ્રી હરિભદ્રસૂરિકૃતિની નિશાની તરીકે વિરહ' શબ્દ, આ ગ્રન્થમાં પ્રકરણના અંતિમભાગે, ગ્રન્થના ઉપસંહારમાં અને પ્રશસ્તિમાં એમ ત્રણવાર કહેલો માલુમ પડે છે. પ્રસ્તુત ગ્રન્થમાં દર્શાવેલ મતાંતરોને જોવાથી સહૃદય પુરૂષોનું અંતઃકરણ, અવશ્ય, મધ્યસ્થદ્રષ્ટિથી પ્રતિપાદન કરેલ નિર્ણયને અનુસરનારૂં બનશે જ. કદર કરી ગુજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 518