Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
એ ઉપદેશમાં ત્રીજું “ધર્મ તત્ત્વ છે. જે કેઈ એકાન્ત કરીને આરંભને ધર્મ માનતા હોય તે જિનેશ્વરના મતનો-જૈન દર્શનને મર્મ–પરમાર્થ-રહસ્ય નહીં જાણે. - ધર્મ અને અર્થ માટે જે જે આરંભે કરવા પડે અથવા તેવી વાત કરવી એ મિથ્યાત્વ છે અને ઘણું લેકેની સભામાં આવી વાત કરે–તે પણ જૈન ધર્મને પ્રાપ્ત નહિ કરી શકે.
(૪૬) બબ્બે ભાવ એટલે હિંસામાં પણ ધર્મ બતાવે અને અહિંસામાં “પણ ધર્મ બતાવે–એવા બબ્બે ભાવ જે ધર્મમાં નથી તેજ સાચે ધર્મ છે–એટલે ફક્ત અહિંસામાં જ ધર્મ છે. આ રીતે હું ત્રણે ત દેવ, ગુરૂ તથા ધર્મનું પાલન કરીશ અને આ પ્રમાણેની ત્રણ બત ઉપર સાચી સહા (શ્રદ્ધા)ને સમકિત કહેવાય છે. (૪૭)
હવે સમકિત જેનું મૂળ છે એવા બાર વ્રત કહ્યાં છે અને તેમના પાંચ પાંચ અતિચાર છે. (બાર વ્રતના કુલ ૭૫ અતિચાર = ૧૨ ૪૫ = ૬૦ + ૧૫ કર્માદાનને અતિચાર). ગુરુના મુખથી આ અતિચારને વિસ્તારપૂર્વક જાણીને આત્માની શક્તિ પ્રમાણે તે ટાળવા પ્રયત્ન કરીશું.
(૪૮) જિનેશ્વર દેએ જીવ, અજીવ વગેરે નવ તત્વ તથા ધર્માસ્તિકાય વગેરે પર્ દ્રવ્ય-છ દ્રવ્ય કહેલાં છે. તેને સાચી રીતે સદહતાં સમક્તિ થાય છે. સમક્તિના પાંચ અતિચારઃ (૧) વીતરાગ પરમાત્માના વચનમાં શંકા કરવી તેને જૈન દર્શનમાં “શંકા દોષ” કહ્યો છે. (૪૯)
૩) બીજાના ધર્મની ઈચ્છા કરવી તેને શાસ્ત્રમાં “કંખા'આકાંક્ષા દેષ કહ્યો છે. (૩) ધર્મના ફળમાં સંદેહ કરે તેને વિતિગિચ્છા-વિચિકિત્સા” નામને ત્રીજે દેષ કહ્યો છે. (૫૦)
() મિથ્યા દષ્ટિની પ્રશંસા કરવી–વખાણ કરવાં-તે સમક્તિને અતિચાર છે. (૫) મિથ્યા દષ્ટિને પરિચય તથા આદર કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org