Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૦
નં. ૬ થી ૧૭ માં જે બાર વ્રત છે તેનું દૃષ્ટાંત સહિત સુંદર વર્ણન અને વિવેચન શ્રી વીરવિજયજી કૃત ૧૨ વ્રતની પૂજામાં આપેલું છે તે પૂજા અર્થ સહિત અભ્યાસ કરવાથી પૂજા ભણતી ભણાવતી વખતે જ્ઞાન તથા આનંદ પ્રાપ્ત થાય છે.
ઘણું કરીને સર્વ તેના અતિચારે પરિગ્રહ તથા આરંભથી ઉત્પન્ન થાય છે, તેથી સામાન્યપણે તેનાજ અતિચારને આવે છે.
પરિગ્રહના બે ભેદ છેઃ સચિત્ત અને અચિત્ત અથવા બાહ્ય અને અત્યંતર ધન-ધાન્યાદિક બાદી પરિગ્રહ કહેવાય છે, અને મિથ્યાત્વ, અવિરતિ વગેરે અત્યંતર પરિગ્રહ કહેવાય છે.
આરંભમાં કૃષિ, વાણિજ્ય વગેરેનો સમાવેશ થાય છે.
અપવાદઃ જિન પ્રતિમા પ્રતિમા પૂજન, તીર્થયાત્રા, સ્વામીવાત્સલ્ય વગેરે ધર્મ નિમિત્તે કે શાસનની પ્રભાવના માટે પરિગ્રહ રાખવું પડે કે આરંભ કરે પડે તેના અતિચાર ન લાગે.
મુહપત્તિના પર બેલ મુહપત્તિના ૫૦ બોલમાં પચીસ બેલ મુહપત્તિની પડિલેહણાના છે અને ૨૫ બેલ શરીરની-અંગ પડિલેહણના છે. ૫૦ બોલમાં પહેલે બેલ જયણું કરવાનું છે, ૯ બોલ આદરવાના છે અને ૪૦ બેલ પરિહરવાના છે.
(૧) સમ્યકત્વમૂલના પાંચ આચાર છે. મુખ્ય અર્થ જૈન ધર્મમાં દ્રઢ શ્રદ્ધા રાખી, નિર્મળ દષ્ટિ રાખી, જયણાપૂર્વક મુહપત્તિની દષ્ટિ પડિલેહણ કરતાં મુહપત્તિ ૩ વાર ફેરવવી.
૨–૩–૪ ત્રણ મિહનીય કર્મ પરિહરવાનાં છેજે કર્મ જીવને મુંઝવે તે મેહનીય કર્મ. આ કર્મના આવરણને લીધે જીવને આત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org