Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫૮
હું વંદન કરું છું જેથી મારા મનની સર્વ આશાઓ સદા નિરંતર ફળીભૂત થાય. | ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થના જાણકાર, “સૂરીશ્વર ? પદવીના ધણી, જેમને જગતમાં ઘણો મહિમા છે એવા શ્રી ગૌતમ સ્વામિને મંત્ર સ્મરણ કરનારને તત્કાળ સર્વ વિદ્યાઓ કુરાયમાન થઈ પ્રાપ્ત થાય છે.
આવા ગૌતમ સ્વામિને હું કાયા (શરીર)થી પ્રણામ કરું છું, વચનથી તેમની સ્તુતિ કરૂં છું, અને એકાગ્ર મનથી તેમનું ધ્યાન ધરૂં છું, કારણ કે તેમના નામ મરણને મહિમા મોટો છે અને ગુણરૂપી મણિઓને ભંડાર છે.
આવા ચમત્કારી નામને ઉઠતાં, બેસતાં, તેમજ રસ્તે ચાલતાં, હૃદયમાં ધારણ કરતાં “ગૌતમ” “ગૌતમ ” એ પ્રમાણે નામ મુખેથી બેલતાં, તેમના સેવકના બધાં કાર્યો સહેલાઈથી સિદ્ધ થાય છે. ૯ - શ્રી ગૌતમ સ્વામિના નામે સર્વ પ્રકારની પીડા ટળે છે, સર્વ પ્રકારના મનવાંછિત ફળે છે, કઈ પણ રેગ આવતું નથી, તથા સ્મરણ કરનાર જીવ સર્વ પ્રકારના જોગ વિલાસ પામે છે. ૧૦
શ્રી ગૌતમસ્વામિનું નામ જપવાથી સર્વ પ્રકારની વ્યાધિઓ નાશ પામે છે, જીવ પરમ સમાધિ-શાંતિ પામે છે, દૂર્જન દૂર ભાગી જાય છે, તથા જીવ ભરપૂર હર્ષ–સંપૂર્ણ આનંદ પામે છે. ૧૧
શ્રી ગૌતમ સ્વામિના નામનું ધ્યાન કરવાથી હય એટલે ઘેડાના તથા ગજ એટલે હાથીઓના “વાર” એટલે સૈન્ય-સમૂહ મળે છે, સારા લક્ષણવાળી પત્ની મળે છે, સારા ગુણવાળા શ્રેષ્ઠ પુત્ર મળે છે, તથા બધા મિત્ર થાય છે. (કેઈ દુશમન થતો નથી). ૧૨
શ્રી ગૌતમ સ્વામિના નામે ઓચ્છવની પ્રાપ્તિ થાય છે, કોઈ પણ પ્રકારના પરાભવ-દુઃખ, અપમાન, પરાજય-થાય નહીં, માંગલિક વાજિં વાગવા લાગે છે, તથા કૂરકપૂર એટલે ઉત્તમ પ્રકારના ભેજન મળે છે.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org