Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૩પ,
૧૬૭ શ્રી ગૌતમસ્વામિએ સાંભળેલું કે પોતાની આત્મ લબ્ધિના પ્રભાવે જે અષ્ટાપદ પર્વત ઉપર જઈવીસે તીર્થકરની પ્રતિમાજીને વંદન કરે તે તે ચરમ શરીરી મુનિ કહેવાય. (કેવળજ્ઞાન પ્રાપ્ત કરી છેલ્લા શરીરવાળા થાય એટલે તે ભવે મુક્તિ પામે.) ૩૩
આવી દેશના સાંભળીને ગણધર શ્રી ગૌતમસ્વામિ અષ્ટાપદ પર્વત પર જવા ઊપડ્યા. (આ પર્વત ઉપર ચઢવા ૧૫૦૦ તાપસે ત્યાં તપ-સાધના કરતા હતા તે) પંદરસો તાપ એ મુનિ શ્રી ગૌતમસ્વામિને ત્યાં આવતા જોયા.
૩૪ તે તાપસ વિચારવા લાગ્યા કે અમોએ તપથી અમારાં શરીર સુકવી નાખી હલકાં બનાવ્યાં છે છતાં પણ અમે પર્વત ઉપર ચડવાની શક્તિ મેળવી શક્યા નથી, તો આ હાથી જેવી ગર્જના કરતે દઢ કાયાવાળે કેવી રીતે ચઢી શકશે ?
આ પ્રમાણે (પિતાના તપના મદથી) મોટા અભિમાનથી તાપસે, મનમાં વિચારતા હતા એટલામાં તો મુનિ શ્રી ગૌતમસ્વામિ ઝડપથી (પિતાની લબ્ધિના પ્રભાવથી) જાણે સૂર્યના કિરણનું અવલંબન લઈ અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ગયા.
(શ્રી કષભદેવ પ્રભુના પુત્ર) ચક્રવર્તી ભરત મહારાજાએ નિર્માણ કરાવેલ અષ્ટાપદ પર્વત ઉપરનું જિન મંદિર પરમાનંદપૂર્વક શ્રી ગૌતમસ્વામિએ જોયું. દડ, કળશ, ધજા સહિતનું તે મંદિર સુવર્ણ અને રત્નનું બનાવેલ હતું.
૩૭ (અત્યારે અદશ્ય) શ્રી અષ્ટાપદ તીર્થના જિન દહેરાસરજીમાં ચારે દિશાએ ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ દરેક તીર્થંકરના શરીરના માપ (તથા વર્ણ) પ્રમાણેની રનની બનાવેલી હતી. (ચત્તારી-અડ્ડદસ-દય) (અષ્ટાપદ તીર્થના વર્ણન માટે જુઓ- “સતી માણેકદેવી. ચરિત્ર”નું પુસ્તક). ગણધર શ્રી ગૌતમસ્વામિએ ત્યાં જઈને મનના ઉમંગ ઉ૯લાસ સહિત ત્યાં રહી ૨૪ જિનેશ્વરને વંદન કર્યું. ૩૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org