Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨
(અ) અરિહંત વીતરાગ પરમાત્મા સુદેવ છે.(બ) પ ચિક્રિય સૂત્રમાં દર્શાવેલા ૩૬ ગુણવાળા સુગુરુ છે અને (ક) વીતરાગ પ્રરૂપિત સિદ્ધાન્તા તે સુધમ છે.
૧૧-૧૨-૧૩ : ઉપરના ગુણ ન હોય તેવા (અ) કુદેવ, (ખ) કૅગુરુ, (ક) કુધર્મ પરિહરવાના છે.
૧૪-૧૫-૧૬ : જ્ઞાન, દર્શીન, ચારિત્ર આદરવાના છે.
(અ) જ્ઞાન એટલે જાણુવું: આત્માને યથાતથ્ય જણા તે જ્ઞાન, જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ, તે જ્ઞાન. જ્ઞાનથી જીવ અને અજીવ, દેહ અને આત્મા, જડ અને ચૈતન્યના ભેદની એળખાણ થાય છે. જ્ઞાન આઠ છે : પ જ્ઞાન + ૩ કુરાન, પાંચ જ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, મનઃપવજ્ઞાન, તથા કેવલજ્ઞાન. આમાં પહેલાં ત્રણ મિથ્યાદષ્ટિને હોય ત્યારે તે ત્રણ કુજ્ઞાન ગણાય છે. જ્ઞાન,
(બ) આત્માની યથાતથ્ય પ્રતીતિ તે દન છે, દર્શીન એટલે જોવુ. જૈન દર્શન એટલે જીનેશ્વરના પ્રરૂપેલાં સૈદ્ધાન્તિક વચને. તે અખંડ છે અને કેટલાક તે ઘણાં સૂક્ષ્મ છે.
(ક) ચારિત્ર એટલે આત્મા આત્મામાં સ્થિર થાય તે. સયમ નિયમ વ્રત વગેરે વ્યવહાર ચારિત્ર છે અને રાગ-દ્વેષ-માહથી રહિત થઈ જવું તે નિશ્ચય સમ્યગ્ ચારિત્ર છે.
૧૭, ૧૮, ૧૯-ઉપરના ત્રણ (અ) સમ્યગ્ જ્ઞાન, (ખ) સમ્યગ્ દર્શીન તથા (ક) સમ્યગ્ ચારિત્રની વિરાધના ટાળવાની છે.
૨૦, ૨૧, ૨૨-મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિનું વર્ણ ન વંદિત્તાસૂત્ર તથા અતિચારમાં આવી જાય છે. મેાક્ષાભિલાષી પ્રાણીએ પેાતાના આત્માના રક્ષણ માટે ત્રણ ચેાગને નિગ્રહ કરવા તે ગુપ્તિ (કાપુ) કહેવાય.
(અ) મનેાગુપ્તિ-સાવદ્ય એટલે પાપવાળા, નિંદનીય સંકલ્પાને નિરોધ કરવા તે-પાપી વિચારથી મનને અટકાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org