Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૪૧
ભગવાન.
૩૬. કળિકાળને પ્રભાવ તે જુઓ–વિશ્વના બધા ધર્મોમાં જાતજાતના અને ભાતભાતના સંપ્રદાયે અને સંકુચિત કુંડાળા ઉભા થયા છે અને માનવી ધર્મ માટે ઝઘડે છે, લડે છે, મરે છે ને મારે છે પરંતુ ધર્મ માટે જીવતા શીખતો નથી !
૩૭. અનાર્ય દેશે તરફ નજર કરો–તીવ્ર યુદ્ધ લાલસા દેખાય છે અને ભયંકર ઘાતક શસ્ત્રોના વેચાણ કરી વિશ્વના નાના મોટા દેશમાં ઘેર સંહાર ચાલુ રાખે છે. ભારત દેશમાં પણ ધર્મના કાર્યો થતાં દેખાય છે પણ ત્યાં ખરેખર ધર્મ થાય છે કે દંભ, પાખંડ અને આડંબર છે તે દરેક વિચારવાન આત્મા પિતાના અંતરને પૂછે.
૩૮. મિચ્છામિ દુક્કડં - ઈચ્છામિ સુક્કડં. ૩. સબકે સન્મતિ દે
૪૦. વિચાર કરે કે, આપણને જે મળ્યું છે તે આપણી બુદ્ધિ, આવડત, હોંશિયારી, મહેનત, પુરૂષાર્થને લીધે નહીં પરંતુ આપણા ગત જમેના પુણ્ય-કર્મને લીધે મળ્યું છે. વાસના ક્ષય એ જ મોક્ષ.
૪. ઉદ્યમ કરે હજાર, કર્મ વિના કોડી નહીં. ૪૨, જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તે સમે તેહને તે જ પહોંચે. ૪૩. ઉધમ સર્વે આદરે, પામે કર્મ પ્રમાણે,
કમને હીરા જડે, અફકમીને પહાણું. ૪૪. ખુશ રહો પ્યારે, કયા ચિંતા તુમારે;
ચલતી હે મૈયા, પ્રભુજી કે સહારે. ૪૫. આપણું અંતરાત્માને પૂછીએ કે જયારે મારું મૃત્યુ નિશ્ચિત છે તે મૃત્યુ ત્યારે થશે ત્યારે ધનલાલચથી, છળકપટ, લોભ, દગો, નફાખોરી, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, દાણચોરી, વગેરે અનીતિ અને અન્યાયથી ભેગી કરેલી મૂડીમાંથી એક પૈસે પણ મારા વારપરિવાર-કુટુંબીજને પરલેકના ભાથા તરીકે આપશે ખરા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org